Moksha Marg Prakashak (Gujarati). Granthani Pramanikata Ane Aagam Parmapara.

< Previous Page   Next Page >


Page 1 of 370
PDF/HTML Page 29 of 398

 

background image
બની શ્રી અરિહંતાદિકને નમસ્કારાદિરૂપ મંગળ કર્યું છે.એ પ્રમાણે મંગળાચરણ કરી હવે સાર્થક
‘મોક્ષમાર્ગપ્રકાશક’ નામના ગ્રંથનો ઉદ્યોત કરીએ છીએ. ત્યાં ‘આ ગ્રંથ પ્રમાણ છે’ એવી પ્રતીતિ
કરાવવા અર્થે પૂર્વ અનુસારનું સ્વરૂપ નિરૂપણ કરીએ છીએ.
ગ્રંથની પ્રામાણિકતા અને આગમ પરંપરા
એ પ્રમાણે મંગળાચરણ કરી હવે સાર્થક ‘મોક્ષમાર્ગપ્રકાશક’ નામના ગ્રંથનો ઉદ્યોત કરીએ
છીએ. ત્યાં ‘આ ગ્રંથ પ્રમાણ છે’ એવી પ્રતીતિ કરાવવા અર્થે પૂર્વ અનુસારનું સ્વરૂપ નિરૂપણ
કરીએ છીએ.
અકારાદિ ઉચ્ચાર તો અનાદિનિધન છે, કોઈએ નવા કર્યા નથી. એનો આકાર લખવો
તે તો પોતાની ઇચ્છાનુસાર અનેક પ્રકારરૂપ છે, પરંતુ બોલવામાં આવે છે તે અક્ષર તો સર્વત્ર
સર્વદા એ જ પ્રમાણે પ્રવર્તે છે કે‘सिद्धो वर्णसमाम्नायः’ અર્થાત્ વર્ણ ઉચ્ચારનો સંપ્રદાય
સ્વયંસિદ્ધ છે. વળી અક્ષરોથી નીપજેલાં સત્ય અર્થનાં પ્રકાશક પદોના સમૂહનું નામ શ્રુત છે,
તે પણ અનાદિનિધન છે. જેમ ‘‘જીવ’’ એવું અનાદિનિધન પદ છે તે જીવને જણાવવાવાળું
છે. એ પ્રમાણે પોતપોતાના સત્ય અર્થનાં પ્રકાશક જે અનેક પદ તેનો જે સમુદાય છે તેને
શ્રુત જાણવું. વળી જેમ મોતી તો સ્વયંસિદ્ધ છે તેમાંથી કોઈ થોડાં મોતીને, કોઈ ઘણાં મોતીને,
કોઈ કોઈ પ્રકારે તથા કોઈ કોઈ પ્રકારે ગૂંથી ઘરેણું બનાવે છે, તેમ પદ તો સ્વયંસિદ્ધ છે,
તેમાંથી કોઈ થોડાં પદોને, કોઈ ઘણાં પદોને, કોઈ કોઈ પ્રકારે તથા કોઈ કોઈ પ્રકારે ગૂંથી
(જોડી વા લખી) ગ્રંથ બનાવે છે, તેમ હું પણ એ સત્યાર્થ પદોને મારી બુદ્ધિ અનુસાર ગૂંથી
ગ્રંથ બનાવું છું. તેમાં હું મારી બુદ્ધિપૂર્વક કલ્પિત જૂઠા અર્થનાં સૂચક પદો ગૂંથતો નથી માટે
આ ગ્રંથ પ્રમાણરૂપ જાણવો.
પ્રશ્નઃએ જ પદોની પરંપરા આ ગ્રંથ સુધી કેવી રીતે પ્રવર્તે છે?
ઉત્તરઃઅનાદિ કાલથી તીર્થંકર કેવલી થતા આવ્યા છે. તેમનામાં સર્વજ્ઞપણું હોય
છે તેથી તેમને એ પદોનું તથા તેના અર્થનું પણ જ્ઞાન હોય છે. તથા જે વડે અન્ય જીવોને એ
પદોના અર્થનું જ્ઞાન થાય એવો તીર્થંકર કેવળીનો દિવ્યધ્વનિ દ્વારા ઉપદેશ થાય છે તે અનુસાર
ગણધરદેવ અંગ-પ્રકીર્ણકરૂપ ગ્રંથ-રચના કરે છે. વળી તદ્નુસાર અન્ય અન્ય આચાર્યાદિક નાના
પ્રકારે ગ્રંથાદિકની રચના કરે છે. તેને કોઈ અભ્યાસે છે, કોઈ કહે છે તથા કોઈ સાંભળે છે.
એ પ્રમાણે પરમ્પરા માર્ગ ચાલ્યો આવે છે.
હવે આ ભરતક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણી કાળ ચાલે છે તેમાં ચોવીસ તીર્થંકર થયા.
તેમાં શ્રી વર્દ્ધમાન નામના અંતિમ તીર્થંકરદેવ થયા જેઓ કેવળજ્ઞાન સહિત બિરાજમાન થઈ
જીવોને દિવ્યધ્વનિ દ્વારા ઉપદેશ દેવા લાગ્યા. જે સાંભળવાનું નિમિત્ત પામીને શ્રી ગૌતમગણધરે
અગમ્ય અર્થને પણ જાણી ધર્માનુરાગવશ અંગ
પ્રકીર્ણની રચના કરી. વળી શ્રી વર્દ્ધમાન
પ્રથમ અધિકારઃ પીઠબંધ પ્રરૂપક ][ ૧૧