Moksha Marg Prakashak (Gujarati). Granthakartano Aagam Abhyas.

< Previous Page   Next Page >


Page 2 of 370
PDF/HTML Page 30 of 398

 

background image
સ્વામીના મોક્ષગમન પછી આ પંચમ કાળમાં ગૌતમ, સુધર્મ અને જંબૂસ્વામી નામના ત્રણ
કેવળી થયા. તે પછી કાળદોષથી કેવળજ્ઞાની હોવાનો અભાવ થયો. કેટલાક કાળ સુધી
દ્વાદશાંગના પાઠી શ્રુતકેવળી રહ્યા. પછી તેમનો પણ અભાવ થયો. ત્યાર પછી કેટલાક કાળ
સુધી થોડા અંગના પાઠી રહ્યા. તેઓએ એમ જાણ્યું કે
‘‘ભવિષ્ય કાળમાં અમારા જેવા પણ
જ્ઞાની રહેશે નહિ,’’ એમ જાણી તેમને ગ્રંથરચના કરી અને દ્વાદશાંગાનુકૂલ પ્રથમાનુયોગ,
કરણાનુયોગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગના અનેક ગ્રંથો રચ્યા. તેમનો પણ અભાવ થતાં
તેઓના અનુસારે અન્ય આચાર્યોએ રચેલા ગ્રન્થ વા એ ગ્રન્થના અનુસારે રચેલા ગ્રન્થની જ
પ્રવૃત્તિ રહી. તેમાં પણ કાળદોષથી કેટલાક ગ્રન્થનો દુષ્ટ પુરુષો દ્વારા નાશ થયો વા મહાન
ગ્રન્થોનો અભ્યાસાદિ ન થવાથી પણ નાશ થયો. વળી કેટલાક મહાન ગ્રન્થો જોવામાં
આવે છે પણ બુદ્ધિની મંદતાથી આજે તેનો અભ્યાસ થતો નથી. જેમ દક્ષિણમાં ગોમટ્ટસ્વામીની
પાસે મૂડબિદ્રી નગરમાં શ્રીધવલ
મહાધવલજયધવલ ગ્રન્થો હાલ છે, પરન્તુ તે દર્શન માત્ર
જ છે. (હવે તો પ્રાપ્ત છે) કેટલાક ગ્રન્થો પોતાની બુદ્ધિવડે અભ્યાસ કરવા યોગ્ય છે. તેમાં
પણ થોડા જ ગ્રન્થોનો અભ્યાસ આજે બને છે. એવા આ નિકૃષ્ટ કાળમાં ઉત્કૃષ્ટ જૈનમતનું
ઘટવું થયું. છતાં પરમ્પરા દ્વારા આજે પણ જૈનશાસ્ત્રમાં સત્ય અર્થનાં પ્રકાશક પદોનો સદ્ભાવ
પ્રવર્તે છે.
ગ્રંથકર્તાનો આગમ અભ્યાસ
વળી આ કાળમાં હું મનુષ્ય પર્યાય પામ્યો ત્યાં મારા પૂર્વ સંસ્કારથી વા ભલું થવા
યોગ્ય હતું તેથી મારો જૈનશાસ્ત્રમાં અભ્યાસ કરવાનો ઉદ્યમ થયો, જેથી વ્યાકરણ, ન્યાય, ગણિત
આદિ ઉપયોગી ગ્રંથોનો કિંચિત્ અભ્યાસ કરી ટીકા સહિત શ્રી સમયસાર, પંચાસ્તિકાય,
પ્રવચનસાર, નિયમસાર, ગોમ્મટસાર, લબ્ધિસાર, ત્રિલોકસાર, તત્ત્વાર્થસૂત્ર, ક્ષપણાસાર,
પુરુષાર્થસિદ્ધ્યુપાય, અષ્ટપાહુડ અને આત્માનુશાસનાદિ શાસ્ત્ર, તથા શ્રાવક
મુનિના આચારનાં
પ્રરૂપક અનેક શાસ્ત્ર, સુકથાસહિત પુરાણાદિ શાસ્ત્ર, એ વગેરે અનેક શાસ્ત્રમાં મારી બુદ્ધિ
અનુસાર અભ્યાસ વર્તે છે. જેથી મને પણ કિંચિત્ સત્યાર્થ પદોનું જ્ઞાન થયું છે. વળી આ
નિકૃષ્ટ સમયમાં મારા જેવા મંદબુદ્ધિવાન કરતાં પણ હીનબુદ્ધિના ધારક ઘણા મનુષ્યો જોવામાં
આવે છે. તેઓને એ પદોના અર્થનું જ્ઞાન થવા માટે ધર્માનુરાગ વશ દેશભાષામય ગ્રન્થ
કરવાની મને ઇચ્છા થઈ તેથી હું આ ગ્રન્થ બનાવું છું. તેમાં પણ અર્થસહિત એ જ પદોનું
પ્રકાશન છે. ત્યાં આટલી વિશેષતા છે કે
જેમ પ્રાકૃતસંસ્કૃત શાસ્ત્રોમાં પ્રાકૃતસંસ્કૃત પદો
લખવામાં આવે છે તેમ અહીં અપભ્રંશપૂર્વક વા યથાર્થપણાપૂર્વક દેશભાષારૂપ પદો લખવામાં
આવે છે, પરંતુ તેના અર્થમાં કાંઈ પણ વ્યભિચાર નથી. એ પ્રમાણે આ ગ્રન્થ સુધી એ જ
સત્યાર્થ પદોની પરંપરા પ્રવર્તે છે.
૧૨ ][ મોક્ષમાર્ગપ્રકાશક