કેવળી થયા. તે પછી કાળદોષથી કેવળજ્ઞાની હોવાનો અભાવ થયો. કેટલાક કાળ સુધી
દ્વાદશાંગના પાઠી શ્રુતકેવળી રહ્યા. પછી તેમનો પણ અભાવ થયો. ત્યાર પછી કેટલાક કાળ
સુધી થોડા અંગના પાઠી રહ્યા. તેઓએ એમ જાણ્યું કે
કરણાનુયોગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગના અનેક ગ્રંથો રચ્યા. તેમનો પણ અભાવ થતાં
તેઓના અનુસારે અન્ય આચાર્યોએ રચેલા ગ્રન્થ વા એ ગ્રન્થના અનુસારે રચેલા ગ્રન્થની જ
પ્રવૃત્તિ રહી. તેમાં પણ કાળદોષથી કેટલાક ગ્રન્થનો દુષ્ટ પુરુષો દ્વારા નાશ થયો વા મહાન
ગ્રન્થોનો અભ્યાસાદિ ન થવાથી પણ નાશ થયો. વળી કેટલાક મહાન ગ્રન્થો જોવામાં
આવે છે પણ બુદ્ધિની મંદતાથી આજે તેનો અભ્યાસ થતો નથી. જેમ દક્ષિણમાં ગોમટ્ટસ્વામીની
પાસે મૂડબિદ્રી નગરમાં શ્રીધવલ
પણ થોડા જ ગ્રન્થોનો અભ્યાસ આજે બને છે. એવા આ નિકૃષ્ટ કાળમાં ઉત્કૃષ્ટ જૈનમતનું
ઘટવું થયું. છતાં પરમ્પરા દ્વારા આજે પણ જૈનશાસ્ત્રમાં સત્ય અર્થનાં પ્રકાશક પદોનો સદ્ભાવ
પ્રવર્તે છે.
આદિ ઉપયોગી ગ્રંથોનો કિંચિત્ અભ્યાસ કરી ટીકા સહિત શ્રી સમયસાર, પંચાસ્તિકાય,
પ્રવચનસાર, નિયમસાર, ગોમ્મટસાર, લબ્ધિસાર, ત્રિલોકસાર, તત્ત્વાર્થસૂત્ર, ક્ષપણાસાર,
પુરુષાર્થસિદ્ધ્યુપાય, અષ્ટપાહુડ અને આત્માનુશાસનાદિ શાસ્ત્ર, તથા શ્રાવક
અનુસાર અભ્યાસ વર્તે છે. જેથી મને પણ કિંચિત્ સત્યાર્થ પદોનું જ્ઞાન થયું છે. વળી આ
નિકૃષ્ટ સમયમાં મારા જેવા મંદબુદ્ધિવાન કરતાં પણ હીનબુદ્ધિના ધારક ઘણા મનુષ્યો જોવામાં
આવે છે. તેઓને એ પદોના અર્થનું જ્ઞાન થવા માટે ધર્માનુરાગ વશ દેશભાષામય ગ્રન્થ
કરવાની મને ઇચ્છા થઈ તેથી હું આ ગ્રન્થ બનાવું છું. તેમાં પણ અર્થસહિત એ જ પદોનું
પ્રકાશન છે. ત્યાં આટલી વિશેષતા છે કે
આવે છે, પરંતુ તેના અર્થમાં કાંઈ પણ વ્યભિચાર નથી. એ પ્રમાણે આ ગ્રન્થ સુધી એ જ
સત્યાર્થ પદોની પરંપરા પ્રવર્તે છે.