Moksha Marg Prakashak (Gujarati). Asatyapad Rachanano Nishedh.

< Previous Page   Next Page >


Page 3 of 370
PDF/HTML Page 31 of 398

 

background image
અસત્ય પદ રચનાનો નિષેધા
પ્રશ્નઃએ પ્રમાણે પરંપરા તો અમે જાણી, પરંતુ તે પરંપરામાં સત્યાર્થ પદોની
જ રચના થતી આવી છે અને અસત્યાર્થ પદ નથી મેળવ્યાં એવી પ્રતીતિ અમને કેવી
રીતે થાય?
ઉત્તરઃઅતિ તીવ્ર કષાય થયા વિના અસત્યાર્થ પદોની રચના બને નહિ, કારણ જે
અસત્ય રચના વડે પરંપરાથી અનેક જીવોનું મહાબૂરું થાય અને પોતાને પણ એવા મહા હિંસાના
ફલવડે નર્ક
નિગોદમાં ગમન કરવું થાય, એવું મહાવિપરીત કાર્ય તો ક્રોધ, માન, માયા, લોભની
અત્યંત તીવ્રતા થતાં જ થાય. હવે જૈનધર્મમાં તો એવો કષાયવાન થતો નથી. પ્રથમ મૂળ
ઉપદેશદાતા તો શ્રી તીર્થંકર કેવળી જ થયા તે તો મોહના સર્વથા નાશથી સર્વ કષાયથી રહિત
જ છે. વળી ગ્રંથકર્તા ગણધર વા આચાર્ય છે તેઓ મોહના મંદ ઉદયથી સર્વ બાહ્યાભ્યંતર પરિગ્રહ
છોડી મહા મંદ કષાયી થયા છે, તેમનામાં એ મંદ કષાય વડે કિંચિત્ શુભોપયોગની જ પ્રવૃત્તિ
હોય છે. અન્ય કાંઈ પ્રયોજન નથી. તથા શ્રદ્ધાળુ ગૃહસ્થ કોઈ ગ્રંથ બનાવે છે, તે પણ તીવ્ર
કષાયી હોતા નથી. જો એ તીવ્ર કષાયી હોય તો
સર્વ કષાયનો જે તે પ્રકારે નાશ કરવાવાળો
જે જૈનધર્મ તેમાં તેને રુચિ જ ક્યાંથી થાય? અથવા જો મોહના ઉદયથી અન્ય કાર્યો વડે કષાયને
પોષણ કરે છે તો કરો, પરંતુ જિનઆજ્ઞાભંગ વડે પોતાના કષાયને પોષણ કરે તો તેનામાં જૈનીપણું
રહેતું નથી. એ પ્રમાણે જૈનધર્મમાં એવો તીવ્ર કષાયી કોઈ થતો નથી, કે જે અસત્ય પદોની રચના
કરી પરનું અને પોતાનું જન્મોજન્મમાં બૂરું કરે!
પ્રશ્નઃપણ કોઈ જૈનાભાસ તીવ્ર કષાયી હોય તે અસત્યાર્થ પદોને
જૈનશાસ્ત્રમાં મેળવે અને પાછળ તેની પરમ્પરા ચાલી જાય તો શું કરવું?
ઉત્તરઃજેમ કોઈ સાચા મોતીના ઘરેણાંમાં જૂઠ્ઠાં મોતી મેળવે પણ તેની ઝલક મળતી
આવે નહિ, માટે પરીક્ષા કરી, પારખુ હોય તે તો ઠગાય નહિ, કોઈ ભોળો હોય તે જ મોતીના
નામથી ઠગાય. વળી તેની પરમ્પરા પણ ચાલે નહિ. વચ્ચે તરત જ કોઈ જૂઠાં મોતીઓનો નિષેધ
કરે છે. તેમ કોઈ સત્યાર્થ પદોના સમૂહરૂપ જૈનશાસ્ત્રોમાં અસત્યાર્થ પદ મેળવે પરંતુ
જૈનશાસ્ત્રના
પદોમાં તો કષાય મટાડવાનું વા લૌકિક કાર્ય ઘટાડવાનું પ્રયોજન હોય છે. હવે એ
પાપીએ તેમાં જે અસત્યાર્થ પદ મેળવ્યાં છે તેમાં કષાય પોષવાનું વા લૌકિક કાર્ય સાધવાનું
પ્રયોજન છે. એ પ્રયોજન મળતું નહિ આવવાથી જ્ઞાની પરીક્ષાવડે ઠગાતો નથી પણ કોઈ મૂર્ખ
હોય તે જ જૈનશાસ્ત્રના નામથી ઠગાય. વળી તેની પરમ્પરા પણ ચાલતી નથી. તરત જ કોઈએ
અસત્યાર્થ પદોનો નિષેધ કરે છે. વળી એવા તીવ્રકષાયી જૈનાભાસ અહીં આવા નિકૃષ્ટ કાળમાં
જ હોય છે પણ ઉત્કૃષ્ટ ક્ષેત્ર-કાલ ઘણાં છે તેમાં તો એવા હોતા જ નથી. માટે જૈનશાસ્ત્રોમાં
અસત્યાર્થ પદોની પરમ્પરા ચાલતી જ નથી એમ નિશ્ચય કરવો.
પ્રથમ અધિકારઃ પીઠબંધ પ્રરૂપક ][ ૧૩