✾ અસત્ય પદ રચનાનો નિષેધા ✾
પ્રશ્નઃ — એ પ્રમાણે પરંપરા તો અમે જાણી, પરંતુ તે પરંપરામાં સત્યાર્થ પદોની
જ રચના થતી આવી છે અને અસત્યાર્થ પદ નથી મેળવ્યાં એવી પ્રતીતિ અમને કેવી
રીતે થાય?
ઉત્તરઃ — અતિ તીવ્ર કષાય થયા વિના અસત્યાર્થ પદોની રચના બને નહિ, કારણ જે
અસત્ય રચના વડે પરંપરાથી અનેક જીવોનું મહાબૂરું થાય અને પોતાને પણ એવા મહા હિંસાના
ફલવડે નર્ક – નિગોદમાં ગમન કરવું થાય, એવું મહાવિપરીત કાર્ય તો ક્રોધ, માન, માયા, લોભની
અત્યંત તીવ્રતા થતાં જ થાય. હવે જૈનધર્મમાં તો એવો કષાયવાન થતો નથી. પ્રથમ મૂળ
ઉપદેશદાતા તો શ્રી તીર્થંકર કેવળી જ થયા તે તો મોહના સર્વથા નાશથી સર્વ કષાયથી રહિત
જ છે. વળી ગ્રંથકર્તા ગણધર વા આચાર્ય છે તેઓ મોહના મંદ ઉદયથી સર્વ બાહ્યાભ્યંતર પરિગ્રહ
છોડી મહા મંદ કષાયી થયા છે, તેમનામાં એ મંદ કષાય વડે કિંચિત્ શુભોપયોગની જ પ્રવૃત્તિ
હોય છે. અન્ય કાંઈ પ્રયોજન નથી. તથા શ્રદ્ધાળુ ગૃહસ્થ કોઈ ગ્રંથ બનાવે છે, તે પણ તીવ્ર
કષાયી હોતા નથી. જો એ તીવ્ર કષાયી હોય તો સર્વ કષાયનો જે તે પ્રકારે નાશ કરવાવાળો
જે જૈનધર્મ તેમાં તેને રુચિ જ ક્યાંથી થાય? અથવા જો મોહના ઉદયથી અન્ય કાર્યો વડે કષાયને
પોષણ કરે છે તો કરો, પરંતુ જિનઆજ્ઞાભંગ વડે પોતાના કષાયને પોષણ કરે તો તેનામાં જૈનીપણું
રહેતું નથી. એ પ્રમાણે જૈનધર્મમાં એવો તીવ્ર કષાયી કોઈ થતો નથી, કે જે અસત્ય પદોની રચના
કરી પરનું અને પોતાનું જન્મોજન્મમાં બૂરું કરે!
પ્રશ્નઃ — પણ કોઈ જૈનાભાસ તીવ્ર કષાયી હોય તે અસત્યાર્થ પદોને
જૈનશાસ્ત્રમાં મેળવે અને પાછળ તેની પરમ્પરા ચાલી જાય તો શું કરવું?
ઉત્તરઃ — જેમ કોઈ સાચા મોતીના ઘરેણાંમાં જૂઠ્ઠાં મોતી મેળવે પણ તેની ઝલક મળતી
આવે નહિ, માટે પરીક્ષા કરી, પારખુ હોય તે તો ઠગાય નહિ, કોઈ ભોળો હોય તે જ મોતીના
નામથી ઠગાય. વળી તેની પરમ્પરા પણ ચાલે નહિ. વચ્ચે તરત જ કોઈ જૂઠાં મોતીઓનો નિષેધ
કરે છે. તેમ કોઈ સત્યાર્થ પદોના સમૂહરૂપ જૈનશાસ્ત્રોમાં અસત્યાર્થ પદ મેળવે પરંતુ જૈનશાસ્ત્રના
પદોમાં તો કષાય મટાડવાનું વા લૌકિક કાર્ય ઘટાડવાનું પ્રયોજન હોય છે. હવે એ
પાપીએ તેમાં જે અસત્યાર્થ પદ મેળવ્યાં છે તેમાં કષાય પોષવાનું વા લૌકિક કાર્ય સાધવાનું
પ્રયોજન છે. એ પ્રયોજન મળતું નહિ આવવાથી જ્ઞાની પરીક્ષાવડે ઠગાતો નથી પણ કોઈ મૂર્ખ
હોય તે જ જૈનશાસ્ત્રના નામથી ઠગાય. વળી તેની પરમ્પરા પણ ચાલતી નથી. તરત જ કોઈએ
અસત્યાર્થ પદોનો નિષેધ કરે છે. વળી એવા તીવ્રકષાયી જૈનાભાસ અહીં આવા નિકૃષ્ટ કાળમાં
જ હોય છે પણ ઉત્કૃષ્ટ ક્ષેત્ર-કાલ ઘણાં છે તેમાં તો એવા હોતા જ નથી. માટે જૈનશાસ્ત્રોમાં
અસત્યાર્થ પદોની પરમ્પરા ચાલતી જ નથી એમ નિશ્ચય કરવો.
પ્રથમ અધિકારઃ પીઠબંધ પ્રરૂપક ][ ૧૩