ચાલે?
અનુસાર તેઓ ગ્રંથ-રચના કરે છે. હવે એ ગ્રંથમાં તો અસત્યાર્થ પદ કેવી રીતે ગૂંથી શકાય?
તથા અન્ય આચાર્યાદિ ગ્રંથ-રચના કરે છે તેઓ પણ યથાયોગ્ય સમ્યગ્જ્ઞાનના ધારક છે. વળી
તેઓ મૂળ ગ્રંથોની પરમ્પરા દ્વારા ગ્રંથ-રચના કરે છે, જે પદોનું પોતાને જ્ઞાન ન હોય તેની તો
તેઓ રચના કરતા નથી, પણ જે પદોનું જ્ઞાન હોય તેને જ સમ્યગ્જ્ઞાનપ્રમાણપૂર્વક બરાબર ગૂંથે
છે. હવે પ્રથમ તો એવી સાવધાનતામાં અસત્યાર્થ પદ ગૂંથ્યાં જાય નહિ તથાપિ કદાચિત્ પોતાને
પૂર્વ ગ્રંથોનાં પદોનો અર્થ અન્યથા જ ભાસે અને પોતાની પ્રમાણતામાં પણ તે જ પ્રમાણે બેસી
જાય તો તેનું કાંઈ તેને વશ નથી. પરંતુ એમ કોઈકને જ ભાસે, સર્વને નહિ. માટે જેને સત્યાર્થ
ભાસ્યો હોય તે તેનો નિષેધ કરી પરંપરા ચાલવા દે નહિ. વળી આટલું વિશેષ જાણવું કે
અન્યથા જાણવા છતાં પણ, તેને જિનની આજ્ઞા માનવાથી જીવનું બૂરું ન થાય એવા કોઈ સૂક્ષ્મ
અર્થમાં કોઈને કોઈ અર્થ અન્યથા પ્રમાણમાં લાવે તોપણ તેનો વિશેષ દોષ નથી. શ્રી
ગોમ્મટસારમાં પણ કહ્યું છે કેઃ
વર્ણન છે તેવું જ વર્ણન કરીશ, અથવા કોઈ ઠેકાણે પૂર્વ ગ્રન્થોમાં સામાન્ય ગૂઢ વર્ણન છે તેનો
વિશેષભાવ પ્રગટ કરી અહીં વર્ણન કરીશ. એ પ્રમાણે વર્ણન કરવામાં હું ઘણી સાવધાની રાખીશ
તેમ છતાં કોઈ ઠેકાણે સૂક્ષ્મ અર્થનું અન્યથા વર્ણન થઈ જાય તો વિશેષ બુદ્ધિમાન હોય તેઓ
તેને બરાબર કરી શુદ્ધ કરે એવી મારી પ્રાર્થના છે. એ પ્રમાણે આ શાસ્ત્ર રચવાનો નિશ્ચય કર્યો.