આઠમો અધિકાર ][ ૩૦૭
તીર્થંકરની સાથે મોક્ષ ગયા બતાવ્યા ત્યાં એમ જાણવું કે – એક જ કાળમાં એટલા મુનિ મોક્ષ
ગયા નથી પણ જ્યાં તીર્થંકર ગમનાદિ ક્રિયા મટી સ્થિર થયા ત્યાં તેમની સાથે આટલા મુનિ
બેઠા અને મોક્ષ તો આગળપાછળ ગયા. એ પ્રમાણે પ્રથમાનુયોગ અને કરણાનુયોગના કથનોનો
વિરોધ દૂર થાય છે. વળી દેવદેવાંગના સાથે ઊપજી, પાછળથી દેવાંગનાએ તે શરીર તજી
વચમાં અન્ય શરીર ધર્યાં; તેનું પ્રયોજન ન જાણી કથન ન કર્યું અને પાછળથી તેઓ સાથે
સાથે મનુષ્યપર્યાયમાં ઊપજ્યાં. એ પ્રમાણે વિધિ મેળવતાં વિરોધ દૂર થાય છે. એ જ પ્રમાણે
અન્ય ઠેકાણે વિધિ મેળવી લેવી.
પ્રશ્નઃ — એવાં કથનોમાં કોઈ પ્રકારે વિધિ મળે છે પરંતુ અન્ય વિરોધ પણ
ત્યાં જોવામાં આવે છે. જેમ કે – નેમિનાથ સ્વામીનો જન્મ કોઈ ઠેકાણે સૌરીપુરીમાં તથા
કોઈ ઠેકાણે દ્વારાવતિમાં કહ્યો, રામચંદ્રાદિકની કથા જુદા – જુદા પ્રકારથી લખી તથા
એકેંદ્રિયાદિને કોઈ ઠેકાણે સાસાદનગુણસ્થાન હોવું લખ્યું અને કોઈ ઠેકાણે ન લખ્યું,
ઇત્યાદિ. હવે એ કથનોની વિધિ કેવી રીતે મળે?
ઉત્તરઃ — એવાં વિરોધસહિત કથનો કાળદોષથી થયાં છે. આ કાળમાં પ્રત્યક્ષજ્ઞાનની
વા બહુશ્રુતિ પુરુષોનો તો અભાવ થયો અને અલ્પબુદ્ધિ ગ્રંથ કરવાના અધિકારી થયા, તેમને
ભ્રમથી કોઈ અર્થ અન્યથા ભાસે તો તેને કેવી રીતે લખે, અથવા આ કાળમાં જૈનમતમાં પણ
કેટલાક કષાયી થયા છે તેમણે કોઈ કારણ પામીને અન્યથા કથન લખ્યાં છે, એ પ્રમાણે અન્યથા
કથન થયાં તેથી જૈનશાસ્ત્રોમાં પણ વિરોધ ભાસવા લાગ્યો.
હવે જ્યાં વિરોધ ભાસે ત્યાં આટલું કરવું કે – આ કથન કરવાવાળા ઘણા પ્રામાણિક
છે કે આ કથન કરવાવાળા ઘણા પ્રામાણિક છે? એવો વિચાર કરી મહાન આચાર્યાદિકોનાં
કહેલાં કથનને પ્રમાણ કરવાં, વળી જિનમતનાં ઘણાં શાસ્ત્રો છે તેની આમ્નાય મેળવવી અને
જો પરંપરા આમ્નાયથી મળે તો તે કથન પ્રમાણ કરવાં. એટલો વિચાર કરવા છતાં પણ સત્ય –
અસત્યનો નિર્ણય ન થઈ શકે તો ‘જેમ કેવળીને ભાસ્યું તેમ પ્રમાણ છે’ એમ માની લેવું.
કારણ કે – દેવાદિકનો વા તત્ત્વોનો નિર્ધાર થયા વિના તો મોક્ષમાર્ગ થાય નહિ, તેનો તો નિર્ધાર
પણ થઈ શકે છે, જો કોઈ તેનું સ્વરૂપ વિરુદ્ધરૂપ કહે તો પોતાને જ તે ભાસી જાય છે.
પણ અન્ય કથનનો નિર્ધાર ન થાય, સંશયાદિ રહે વા અન્યથા પણ જાણપણું થઈ જાય, અને
જો, ‘કેવળીનું કહ્યું પ્રમાણ છે’ એવું શ્રદ્ધાન રહે તો તેથી મોક્ષમાર્ગમાં વિઘ્ન નથી, એમ સમજવું.
શંકાઃ — જેમ જિનમતમાં નાના પ્રકારનાં કથન કહ્યાં તેમ અન્યમતમાં પણ
કથન હોય છે, હવે તમારા મતનાં કથનને તો તમે જે – તે પ્રકારથી સ્થાપન કર્યાં અને
અન્ય મતનાં એવાં કથનને તમે દોષ લગાવો છો એ તમને રાગ – દ્વેષ છે.
સમાધાનઃ — કથન તો નાનાપ્રકારનાં હોય પણ જો તે એક જ પ્રયોજનને પોષતાં