Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 296 of 370
PDF/HTML Page 324 of 398

 

background image
૩૦૬ ][ મોક્ષમાર્ગપ્રકાશક
ઉપદેશ તો વચનાત્મક છે અને વચનદ્વારા અનેક અર્થ એકસાથે કહ્યા જતા નથી, માટે ઉપદેશ
તો કોઈ એક જ અર્થની મુખ્યતાપૂર્વક હોય છે.
જે અર્થનું જ્યાં વર્ણન ચાલે છે ત્યાં તેની જ મુખ્યતા છે, જો બીજા અર્થની ત્યાં જ
મુખ્યતા કરવામાં આવે તો બંને ઉપદેશ દ્રઢ ન થાય, તેથી ઉપદેશમાં એક અર્થને દ્રઢ કરવામાં
આવે છે, પરંતુ સર્વ જિનમતનું ચિહ્ન સ્યાદ્વાદ છે, ‘સ્યાત્’ પદનો અર્થ ‘કથંચિત્’ છે, માટે
જે ઉપદેશ હોય તેને સર્વથા ન જાણી લેવો. ઉપદેશના અર્થને જાણી ત્યાં આટલો વિચાર કરવો
કે
‘આ ઉપદેશ કયા પ્રકારે છે, કયા પ્રયોજનસહિત છે અને કયા જીવને કાર્યકારી છે’ ઇત્યાદિ
વિચાર કરી તેના યથાર્થ અર્થને ગ્રહણ કરવો, પછી પોતાની દશા દેખે; એ ઉપદેશ જેમ પોતાને
કાર્યકારી થાય તે પ્રમાણે તેને પોતે અંગીકાર કરે, તથા જે ઉપદેશ જાણવા યોગ્ય જ હોય
તો તેને યથાર્થ જાણી લે, એ પ્રમાણે ઉપદેશના ફળને પ્રાપ્ત કરે.
પ્રશ્નઃજો અલ્પબુદ્ધિવાન એટલો વિચાર ન કરી શકે તો તે શું કરે?
ઉત્તરઃજેમ વ્યાપારી પોતાની બુદ્ધિ અનુસાર જેમાં નફો સમજે તે થોડો વા ઘણો
વ્યાપાર કરે પરંતુ નફાતોટાનું જ્ઞાન તો અવશ્ય જોઈએ; તેમ વિવેકી પુરુષ પોતાની બુદ્ધિ
અનુસાર જેમાં પોતાનું હિત સમજે તે થોડો વા ઘણો ઉપદેશ ગ્રહણ કરે પરંતુ ‘મને આ
કાર્યકારી છે, આ કાર્યકારી નથી’ એટલું જ્ઞાન તો અવશ્ય જોઈએ. હવે
કાર્ય તો એટલું છે
કેયથાર્થ શ્રદ્ધાનજ્ઞાનવડે રાગાદિક ઘટાડવા, એ કાર્ય પોતાને જેમ સધાય તે જ ઉપદેશનું
પ્રયોજન ગ્રહણ કરે, વિશેષ જ્ઞાન ન હોય તોપણ પ્રયોજનને તો ભૂલે નહિ, એ સાવધાનતા
તો અવશ્ય જોઈએ, જેમાં પોતાના હિતની હાનિ થાય તેમ ઉપદેશનો અર્થ સમજવો યોગ્ય નથી.
એ પ્રમાણે સ્યાદ્વાદદ્રષ્ટિસહિત જૈનશાસ્ત્રોનો અભ્યાસ કરવાથી પોતાનું કલ્યાણ થાય છે.
પ્રશ્નઃજ્યાં અન્ય અન્ય પ્રકાર સંભવે ત્યાં તો સ્યાદ્વાદ સંભવે પણ એક
જ પ્રકારથી શાસ્ત્રોમાં વિરુદ્ધતા ભાસે તો ત્યાં શું કરીએ? જેમ પ્રથમાનુયોગમાં એક
તીર્થંકરની સાથે હજારો મુનિ મોક્ષ ગયા બતાવ્યા છે; કરણાનુયોગમાં છ મહિના અને
આઠ સમય છસો આઠ જીવ મોક્ષ જાય એવો નિયમ કહેલ છે; પ્રથમાનુયોગમાં એવું
કથન કર્યું કે
દેવદેવાંગના ઊપજીને પછી મરણ પામી સાથે જ મનુષ્યાદિ પર્યાયમાં
ઊપજે છે, ત્યારે કરણાનુયોગમાં દેવનું આયુષ્ય સાગરોપ્રમાણ અને દેવાંગનાનું આયુ
પલ્યોપપ્રમાણ કહ્યું છે. ઇત્યાદિ વિધિ કેવી રીતે મળે?
ઉત્તરઃકરણાનુયોગમાં જે કથનો છે તે તો તારતમ્યસહિત છે પણ અન્ય
અનુયોગમાં પ્રયોજન અનુસાર કથનો છે; માટે કરણાનુયોગનાં કથનો તો જેમ કર્યાં છે તેમ
જ છે પણ બીજા અનુયોગના કથનની જેમ વિધિ મળે તેમ મેળવી લેવી. જ્યાં હજારો મુનિ