Moksha Marg Prakashak (Gujarati). Sansarik Sukh Dukha J Chhe.

< Previous Page   Next Page >


Page 302 of 370
PDF/HTML Page 330 of 398

 

background image
૩૧૨ ][ મોક્ષમાર્ગપ્રકાશક
અઘાતિકર્મોના ઉદયના નિમિત્તથી શરીરાદિકનો સંયોગ થાય છે, મોહકર્મનો ઉદય થતાં
શરીરાદિકનો સંયોગ આકુળતાને બાહ્ય સહકારી કારણ છે. અંતરંગ મોહના ઉદયથી રાગાદિક
થાય અને બાહ્ય અઘાતિકર્મોના ઉદયથી રાગાદિકનું કારણ શરીરાદિનો સંયોગ થાય ત્યારે
આકુળતા ઊપજે છે. મોહનો ઉદય નાશ થવા છતાં પણ અઘાતિકર્મોનો ઉદય રહે છે પણ
તે કાંઈપણ આકુળતા ઉપજાવી શકતો નથી, પરંતુ પૂર્વે આકુળતાને સહકારી કારણરૂપ હતો
માટે એ અઘાતિકર્મોનો નાશ પણ આત્માને ઇષ્ટ જ છે. કેવળીભગવાનને એના હોવા છતાં
પણ કાંઈ દુઃખ નથી માટે તેના નાશનો ઉદ્યમ પણ નથી. પરંતુ મોહનો નાશ થતાં એ સર્વ
કર્મો આપોઆપ થોડા જ કાળમાં નાશને પ્રાપ્ત થઈ જાય છે.
એ પ્રમાણે સર્વ કર્મોનો નાશ થવો એ આત્માનું હિત છે. અને સર્વ કર્મોના નાશનું
જ નામ મોક્ષ છે માટે આત્માનું હિત એક મોક્ષ જ છે, અન્ય કાંઈ નથી, એવો નિશ્ચય કરવો.
પ્રશ્નઃસંસારદશામાં પુણ્યકર્મનો ઉદય થતાં જીવ સુખી પણ થાય છે, તો
‘કેવળ મોક્ષ જ હિત છે’ એમ શા માટે કહો છો?
સાંસારિક સુખ દુઃખ જ છે
ઉત્તરઃસંસારદશામાં સુખ તો સર્વથા છે જ નહિ, દુઃખ જ છે; પરંતુ કોઈને કોઈ
વેળા ઘણું દુઃખ હોય છે તથા કોઈને કોઈ વેળા થોડું દુઃખ હોય છે. હવે પૂર્વે ઘણું દુઃખ
હતું વા અન્ય જીવોને ઘણું દુઃખ હોય છે એ અપેક્ષાએ થોડા દુઃખવાળાને સુખી કહીએ છીએ,
તથા એ જ અભિપ્રાયથી થોડા દુઃખવાળો પોતાને સુખી માને છે, પણ વસ્તુતાએ તેને સુખ
નથી. વળી એ થોડું દુઃખ પણ જો સદાકાળ રહે તો તેને પણ હિતરૂપ ઠરાવીએ પરંતુ તેમ
પણ નથી. પુણ્યનો ઉદય થોડો કાળ જ રહે છે અને ત્યાં સુધી જ થોડું દુઃખ થાય છે પણ
પાછળથી ઘણું દુઃખ થઈ જાય છે. માટે સંસારઅવસ્થા હિતરૂપ નથી.
જેમ કોઈને વિષમજ્વર છે તેને કોઈ વેળા ઘણી અશાતા થાય છે તથા કોઈ વેળા
થોડી થાય છે, થોડી અશાતા હોય ત્યારે તે પોતાને ઠીક માને છે; લોક પણ કહે છે કે ઠીક
છે; પરંતુ પરમાર્થથી જ્યાંસુધી જ્વરનો સદ્ભાવ છે ત્યાંસુધી તેને ઠીક નથી; તેમ સંસારી જીવને
મોહનો ઉદય છે તેને કોઈ વેળા ઘણી આકુળતા થાય છે તથા કોઈ વેળા થોડી થાય છે; થોડી
આકુળતા હોય ત્યારે તે પોતાને સુખી માને છે, લોક પણ કહે છે કે સુખી છે; પરંતુ પરમાર્થથી
જ્યાંસુધી મોહનો સદ્ભાવ છે ત્યાંસુધી સુખ નથી.
તથા સાંભળો, સંસારદશામાં પણ આકુળતા ઘટતાં સુખ નામ પામે છે તથા આકુળતા
વધતાં દુઃખ નામ પામે છે, ક્યાંય બાહ્ય સામગ્રીથી સુખદુઃખ નથી. જેમ કોઈ દરિદ્રીને કિંચિત્
ધનની પ્રાપ્તિ થઈ, ત્યાં કંઈક આકુળતા ઘટવાથી તેને સુખી કહીએ છીએ અને તે પણ પોતાને