વધવાથી તેને દુઃખી કહીએ છીએ અને તે પણ પોતાને દુઃખી માને છે.
કોઈને કોઈએ બૂરું કહ્યું, અને જો તેને થોડો પણ ક્રોધ ન થાય તો તેને આકુળતા થતી નથી
તથા જેને થોડી વાતો કહેતાં જ ઘણો ક્રોધ થઈ આવે તો તેને આકુળતા ઘણી થાય છે. વળી
જેમ ગાયને વાછરડાથી કાંઈ પણ પ્રયોજન નથી પરંતુ મોહ ઘણો હોવાથી તેની રક્ષા કરવાની
તેને ઘણી આકુળતા હોય છે, ત્યારે સુભટને શરીરાદિકથી ઘણાં કાર્ય સધાય છે પરંતુ રણક્ષેત્રમાં
માનાદિના કારણે શરીરાદિકથી મોહ ઘટી જતાં મરણની પણ તેને થોડી આકુળતા થાય છે. માટે
એમ જાણવું કે
થવાથી આકુળતા ઘટે ત્યારે સુખ માને છે, તથા ઇચ્છાનુસાર સામગ્રી ન મળે ત્યારે કષાય
વધવાથી આકુળતા વધે છે અને દુઃખ માને છે. હવે છે તો આ પ્રમાણે, પણ આ એવું
જાણે છે કે
થતાં પરમ નિરાકુળતા થવાથી અનંતસુખ પ્રાપ્ત થાય છે
કોઈ અન્ય ઇચ્છા ઊપજે તેને પૂર્ણ કરવાની આકુળતા થાય છે, પણ કોઈ વેળા તે સર્વથા
નિરાકુળ થઈ શકતો નથી; અભિપ્રાયમાં તો અનેક પ્રકારની આકુળતા બની જ રહે છે. વળી
કોઈ આકુળતા મટાડવાનો બાહ્ય ઉપાય કરે પણ પ્રથમ તો કાર્ય સિદ્ધ થાય નહિ, કદાચિત્
જો ભવિતવ્યયોગથી તે કાર્ય સિદ્ધ થઈ જાય તો તે જ ક્ષણે અન્ય આકુળતા મટાડવાના
ઉપાયમાં લાગે છે; એ પ્રમાણે આકુળતા મટાડવાની પણ આકુળતા નિરંતર રહ્યા કરે છે. જો
એવી આકુળતા ન રહે તો નવા નવા વિષયસેવનાદિ કાર્યોમાં તે શામાટે પ્રવર્તે છે? માટે