Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


Page 43 of 370
PDF/HTML Page 71 of 398

 

background image
તેથી અભિપ્રાયમાં તો અનેક આકુળતા નિરંતર રહ્યા જ કરે છે. વળી કોઈ વખતે કોઈ પ્રકારે
પોતાની ઇચ્છાનુસાર પરિણમતા જોઈ કોઈ ઠેકાણે આ જીવ, એ શરીર
પુત્રાદિકમાં અહંકાર
મમકાર કરે છે અને એ જ બુદ્ધિથી તેને ઉપજાવવાની, વધારવાની તથા રક્ષા કરવાની ચિંતાવડે
નિરંતર વ્યાકુળ રહે છે નાના પ્રકારનાં દુઃખ વેઠીને પણ તેમનું ભલું ઇચ્છે છે. વળી જે
વિષયોની ઇચ્છા થાય છે તે કષાયભાવ છે, બાહ્ય સામગ્રીમાં ઇષ્ટ-અનિષ્ટપણું માને છે, અન્યથા
ઉપાયો કરે છે, સાચા ઉપાયનું શ્રદ્ધાન કરતો નથી તથા અન્ય કલ્પના કરે છે, એ બધાનું
મૂળ કારણ એક મિથ્યાદર્શન છે. તેનો નાશ થતાં એ સર્વનો નાશ થાય છે. માટે
સર્વ દુઃખોનું
મૂળ એ મિથ્યાદર્શન છે. તેના નાશનો ઉપાય પણ કાંઈ કરતો નથી. અન્યથા શ્રદ્ધાને સત્ય
શ્રદ્ધા માનતો જીવ તેના નાશનો ઉપાય પણ શા માટે કરે?
વળી સંજ્ઞી પંચેન્દ્રિય જીવ કોઈ વેળા તત્ત્વનિશ્ચય કરવાનો ઉપાય વિચારે છતાં ત્યાં
અભાગ્યથી, કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્રનું નિમિત્ત બની જાય તો ઊલટું અતત્ત્વશ્રદ્ધાન પુષ્ટ થઈ
જાય. તે તો જાણે કે
એનાથી મારું ભલું થશે પરંતુ એ એવા ઉપાય કરે કેજેથી આ અચેત
બની જાય. વસ્તુસ્વરૂપ વિચારવાનો ઉદ્યમી થાય છતાં વિપરીત વિચારમાં દ્રઢ થઈ જાય છે
અને તેથી વિષયકષાયની વાસના વધવાથી વધારે દુઃખી થાય છે.
કદાચિત્ સુદેવ, સુગુરુ, સુશાસ્ત્રનું નિમિત્ત પણ બની જાય તો ત્યાં તેમના નિશ્ચય
ઉપદેશની તો શ્રદ્ધા કરતો નથી, પણ માત્ર વ્યવહારશ્રદ્ધાવડે તે અતત્ત્વશ્રદ્ધાળુ જ રહે છે. ત્યાં
જો મંદ કષાય હોય તથા વિષયની ઇચ્છા ઘટે તો થોડો દુઃખી થાય પણ પાછો જેવો ને
તેવો બની જાય. માટે આ સંસારી જીવ જે ઉપાય કરે છે તે પણ જૂઠા જ હોય છે.
વળી આ સંસારી જીવનો એક આ ઉપાય છે કેપોતાને જેવું શ્રદ્ધાન છે તેમ પદાર્થોને
પરિણમાવવા ઇચ્છે છે. હવે જો એ પ્રમાણે તે પદાર્થો પરિણમે તો તેનું શ્રદ્ધાન સાચું થઈ
જાય,
પરંતુ અનાદિનિધન વસ્તુ ન્યારી ન્યારી પોતપોતાની મર્યાદાપૂર્વક પરિણમે છે,
કોઈ કોઈને આધીન નથી તેમ કોઈ (પદાર્થ) કોઈનો પરિણમાવ્યો પરિણમતો નથી,
છતાં તેને આ જીવ પોતાની ઇચ્છાનુસાર પરિણમાવવા ઇચ્છે છે એ કોઈ ઉપાય નથી, એ
તો મિથ્યાદર્શન જ છે, તો સાચો ઉપાય શો છે?
જેવું પદાર્થનું સ્વરૂપ છે તેવું જ શ્રદ્ધાન થાય તો જ સર્વ દુઃખ દૂર થાય. જેમ કોઈ
મોહમુગ્ધ બની મડદાંને જીવતું માને વા તેને જીવાડવા ઇચ્છે તો તેથી પોતે જ દુઃખી થાય.
પણ તેને મડદું માનવું વા તે જીવાડ્યું જીવવાનું નથી એમ માનવું એ જ એ દુઃખ દૂર થવાનો
ઉપાય છે. તેમ મિથ્યાદ્રષ્ટિ બની પદાર્થોને અન્યથા માની અન્યથા પરિણમાવવા ઇચ્છે તો પોતે
જ દુઃખી થાય.
પણ તેને યથાર્થ માનવા અને એ મારા પરિણમાવ્યા અન્ય પ્રકારે
પરિણમવાના નથી એમ માનવું એ જ એ દુઃખ દૂર થવાનો ઉપાય છે. ભ્રમજનિત
ત્રીજો અધિકારઃ સંસારદુઃખ અને મોક્ષસુખ નિરૂપણ ][ ૫૩