શરીરની પીડા થતાં પણ કાંઈ દુઃખ માનતા નથી, માટે સુખ – દુઃખ માનવું એ મોહના જ
આધીન છે. મોહનીય અને વેદનીયને નિમિત્ત – નૈમિત્તિક સંબંધ છે. તેથી શાતા – અશાતાના
ઉદયથી સુખ – દુઃખ થવું ભાસે છે. વળી મુખ્યપણે કેટલીક સામગ્રી શાતાના ઉદયથી પ્રાપ્ત
થાય છે તથા કેટલીક અશાતાના ઉદયથી પ્રાપ્ત થાય છે. તેથી એ સામગ્રીઓ વડે સુખ – દુઃખ
ભાસે છે, પરંતુ નિર્ણય કરતાં મોહથી જ સુખ – દુઃખનું માનવું થાય છે, પણ અન્ય
દ્વારા સુખ – દુઃખ થવાનો નિયમ નથી. કેવળી ભગવાનને શાતા – અશાતાનો ઉદય પણ છે તથા
સુખ – દુઃખના કારણરૂપ સામગ્રીનો પણ સંયોગ છે, પરંતુ મોહના અભાવથી તેમને કિંચિત્માત્ર
પણ સુખ – દુઃખ થતું નથી, માટે સુખ – દુઃખ મોહજનિત જ માનવું. એટલા માટે તું સામગ્રીને
દૂર કરવાના વા કાયમ રાખવાના ઉપાયો કરી દુઃખ મટાડવા તથા સુખી થવા ઇચ્છે છે, પણ
એ બધા ઉપાય જૂઠા છે.
તો સાચો ઉપાય શો છે? સમ્યગ્દર્શનાદિકથી ભ્રમ દૂર થાય તો સામગ્રીથી સુખ – દુઃખ
ન ભાસતાં પોતાના પરિણામથી જ સુખ – દુઃખ ભાસે. વળી યથાર્થ વિચારના અભ્યાસ વડે
પોતાના પરિણામ જેમ એ સામગ્રીના નિમિત્તથી સુખી – દુઃખી ન થાય તેમ સાધન કરે. એ
સમ્યગ્દર્શનાદિની ભાવનાથી જ મોહ મંદ થઈ જાય ત્યારે એવી દશા થઈ જાય કે અનેક
કારણ મળવા છતાં પણ પોતાને તેમાં સુખ – દુઃખ થાય નહિ. ત્યારે એક શાંતદશારૂપ નિરાકુળ
બની સાચા સુખને અનુભવે અને ત્યારે સર્વ દુઃખ મટી સુખી થાય છે. માટે એ જ સુખી
થવાનો સાચો ઉપાય છે.
✾ આયુકર્મના ઉદયથી થતું દુઃખ અને તેના ઉપાયોનું જૂLાપણું ✾
આયુકર્મના નિમિત્તથી પર્યાય ધારણ કરવો તે જીવિતવ્ય છે તથા ધારણ કરેલો પર્યાય
છૂટવો તે મરણ છે. હવે આ જીવ મિથ્યાદર્શનાદિકથી એ પર્યાયને જ પોતાના સ્વરૂપરૂપે
અનુભવે છે તેથી એ જીવિતવ્ય રહેતાં પોતાનું અસ્તિત્વ માને છે તથા મરણ થતાં પોતાનો
અભાવ થવા માને છે. આ જ કારણથી તને નિરંતર મરણનો ભય રહે છે તે ભયથી સદા
આકુળતા રહે છે. જેને મરણનાં કારણ જાણે તેનાથી ઘણો જ ડરે છે, કદાચિત્ તેનો સંયોગ
બની જાય તો મહાવિહ્વળ થઈ જાય છે. એ પ્રમાણે તે મહાદુઃખી રહ્યા કરે છે.
એ મરણથી બચવા માટે ઉપાય એમ કરે છે કે મરણનાં કારણોને દૂર રાખે છે વા
પોતે તેનાથી દૂર ભાગે છે, ઔષધાદિકનું સાધન કરે છે, ગઢ – કોટ આદિ બનાવે છે; એ આદિ
અનેક ઉપાય કરે છે પણ એ બધા ઉપાયો જૂઠા છે. કારણ કે — આયુ પૂર્ણ થતાં તો અનેક
ઉપાયો કરે તથા અનેક સહાયી હોય છતાં પણ મરણ અવશ્ય થાય છે. એક સમયમાત્ર પણ
જીવતો નથી. તથા જ્યાંસુધી આયુ પૂર્ણ ન થયું હોય ત્યાંસુધી અનેક કારણો મળવા છતાં
પણ મરણ સર્વથા થતું જ નથી. માટે એ ઉપાયો કરવા છતાં મરણ મટતું નથી. વળી આયુની
૬૨ ][ મોક્ષમાર્ગપ્રકાશક