ઉત્તરઃ — આ જીવને પ્રયોજન તો એક એ જ છે કે ‘‘મને દુઃખ ન થાય અને સુખ
થાય,’’ અન્ય કંઈ પણ પ્રયોજન કોઈ જીવને નથી. વળી દુઃખ ન હોવું તથા સુખ હોવું એ
બે એક જ છે, કારણ કે દુઃખનો અભાવ એ જ સુખ છે. હવે એ પ્રયોજનની સિદ્ધિ જીવાદિક
તત્ત્વોનું સત્ય શ્રદ્ધાન કરતાં જ થાય છે. તે કેવી રીતે તે અહીં કહીએ છીએ.
પ્રથમ તો દુઃખ દૂર કરવા માટે સ્વ-પરનું જ્ઞાન અવશ્ય જોઈએ. કારણ કે સ્વ-પરનું
જ્ઞાન જો ન હોય તો પોતાને ઓળખ્યા વિના પોતાનું દુઃખ તે કેવી રીતે દૂર કરે? અથવા
સ્વ-પરને એકરૂપ જાણી પોતાનું દુઃખ દૂર કરવા અર્થે પરનો ઉપચાર કરે તો તેથી પોતાનું
દુઃખ કેવી રીતે દૂર થાય? અથવા પોતે તથા પર ભિન્ન છે પરંતુ આ જીવ પરમાં અહંકાર –
મમકાર કરે તો તેથી દુઃખ જ થાય. માટે સ્વ-પરનું જ્ઞાન થતાં દુઃખ દૂર થાય છે. હવે સ્વ
-પરનું જ્ઞાન જીવ – અજીવનું જ્ઞાન થતાં જ થાય છે, કારણ કે પોતે સ્વયં જીવ છે તથા
શરીરાદિક અજીવ છે.
જો એનાં લક્ષણાદિવડે જીવ – અજીવની ઓળખાણ થાય તો જ સ્વ – પરનું ભિન્નપણું
ભાસે, માટે જીવ – અજીવને જાણવા જોઈએ. અથવા જીવ – અજીવનું જ્ઞાન થતાં જે પદાર્થોના
અન્યથા શ્રદ્ધાનથી દુઃખ થતું હતું તેનું યથાર્થ જ્ઞાન થવાથી દુઃખ દૂર થાય છે, માટે જીવ –
અજીવને જાણવા આવશ્યક છે.
વળી દુઃખનું કારણ તો કર્મબંધન છે અને તેનું કારણ મિથ્યાત્વાદિક આસ્રવ છે. હવે
તેને ન ઓળખે, તેને દુઃખના મૂળ કારણરૂપ ન જાણે તો તેનો અભાવ શી રીતે કરે? તથા
તેનો અભાવ ન કરે તો કર્મબંધન કેમ ન થાય? અને તેથી દુઃખ જ થાય છે. અથવા
મિથ્યાત્વાદિક ભાવ પોતે જ દુઃખમય છે, તેને જેમ છે તેમ ન જાણે તો તેનો અભાવ પણ
તે ન કરે તેથી દુઃખી જ રહે, માટે આસ્રવને જાણવો આવશ્યક છે.
વળી સમસ્ત દુઃખોનું કારણ કર્મબંધન છે. હવે તેને જો ન જાણે તો તેથી મુક્ત થવાનો
ઉપાય પણ તે ન કરે. અને તેના નિમિત્તથી તે દુઃખી જ થાય, માટે બંધને જાણવો આવશ્યક
છે.
આસ્રવનો અભાવ કરવો તે સંવર છે. હવે તેનું સ્વરૂપ જો ન જાણે તો તે સંવરમાં
પ્રવર્તે નહિ અને તેથી આસ્રવ જ રહે, જેથી વર્તમાન વા ભાવિમાં દુઃખ જ થાય છે, માટે
સંવરને જાણવો આવશ્યક છે.
વળી કથંચિત્ કિંચિત્ કર્મબંધનનો અભાવ કરવો તે નિર્જરા છે. તેને ન જાણે તો તેની
પ્રવૃત્તિનો ઉદ્યમી પણ તે ન થાય, ત્યારે સર્વથા બંધ જ રહે અને તેથી દુઃખ જ થાય છે.
માટે નિર્જરાતત્ત્વને જાણવું આવશ્યક છે.
તથા સર્વથા સર્વ કર્મબંધનો અભાવ થવો તેનું નામ મોક્ષ છે. તેને જો ન ઓળખે તો
૮૦ ][ મોક્ષમાર્ગપ્રકાશક