તેનો ઉપાય પણ તે ન કરે, જેથી સંસારમાં કર્મબંધનથી ઉત્પન્ન થતાં દુઃખોને જ તે સહન કરે,
માટે મોક્ષતત્ત્વને જાણવું આવશ્યક છે. એ પ્રમાણે જીવાદિક સાત તત્ત્વો જાણવાં આવશ્યક છે.
વળી શાસ્ત્રાદિવડે કદાચિત્ તેને જાણે પણ ‘‘તે એમ જ છે’’ એવી પ્રતીતિ ન આવી
તો જાણવાથી પણ શું થાય? માટે તેનું શ્રદ્ધાન કરવું કાર્યકારી છે. એ પ્રમાણે એ જીવાદિક
તત્ત્વોનું સત્ય શ્રદ્ધાન કરવાથી જ દુઃખનો અભાવ થવારૂપ પ્રયોજનની સિદ્ધિ થાય છે. માટે
જીવાદિક પદાર્થો છે તે જ પ્રયોજનભૂત જાણવા.
વળી તેના વિશેષ ભેદ પુણ્ય – પાપાદિરૂપ છે તેનું શ્રદ્ધાન પણ પ્રયોજનભૂત છે, કારણ
કે – સામાન્યથી વિશેષ બળવાન છે એ પ્રમાણે એ પદાર્થો પ્રયોજનભૂત છે, કારણ કે – તેનું યથાર્થ
શ્રદ્ધાન કરવાથી તો દુઃખ થતું નથી, સુખ થાય છે અને તેના યથાર્થ શ્રદ્ધાન કર્યા વિના દુઃખ
થાય છે, સુખ થતું નથી.
તથા એ સિવાયના બીજા પદાર્થો છે તે અપ્રયોજનભૂત છે તેથી તેનું યથાર્થ શ્રદ્ધાન
કરો વા ન કરો; તેનું શ્રદ્ધાન કંઈ સુખ – દુઃખનું કારણ નથી.
પ્રશ્નઃ — પૂર્વે જીવ – અજીવ પદાર્થો કહ્યાં તેમાં તો સર્વ પદાર્થો આવી ગયા તો
એ વિના અન્ય પદાર્થો કયા રહ્યા કે જેને અપ્રયોજનભૂત કહ્યા છે?
ઉત્તરઃ — પદાર્થ તો સર્વ જીવ – અજીવમાં જ ગર્ભિત છે, પરંતુ એ જીવ – અજીવના
વિશેષો (ભેદો) ઘણા છે; તેમાં જે વિશેષો સહિત જીવ – અજીવનું યથાર્થ શ્રદ્ધાન કરતાં સ્વ –
પરનું શ્રદ્ધાન થાય, રાગાદિક દૂર કરવાનું શ્રદ્ધાન થાય તેથી સુખ ઊપજે તથા તેને અયથાર્થ
શ્રદ્ધાન કરતાં સ્વ – પરનું શ્રદ્ધાન ન થાય, રાગાદિક દૂર કરવાનું શ્રદ્ધાન ન થાય, તેથી દુઃખ
ઊપજે, એ વિશેષો સહિત જીવ – અજીવ પદાર્થ તો પ્રયોજનભૂત સમજવા.
તથા જે વિશેષો સહિત જીવ – અજીવનું યથાર્થ શ્રદ્ધાન કરવાથી વા ન કરવાથી સ્વ –
પરનું શ્રદ્ધાન થાય વા ન થાય, રાગાદિક દૂર કરવાનું શ્રદ્ધાન થાય વા ન થાય, જેનો કાંઈ
નિયમ નથી, એવા વિશેષો સહિત જીવ – અજીવ પદાર્થ અપ્રયોજનભૂત સમજવા.
જેમ જીવ અને શરીરનું તેના ચૈતન્ય તથા મૂર્તત્વાદિ વિશેષો વડે શ્રદ્ધાન કરવું તો
પ્રયોજનભૂત છે તથા મનુષ્યાદિ પર્યાયો તથા ઘટપટાદિનું અવસ્થા – આકારાદિ વિશેષો વડે શ્રદ્ધાન
કરવું અપ્રયોજનભૂત છે. એમ અન્ય પણ સમજવું.
એ પ્રમાણે કહેલાં જે પ્રયોજનભૂત જીવાદિક તત્ત્વો તેના અયથાર્થ શ્રદ્ધાનને મિથ્યાદર્શન
જાણવું.
✾મિથ્યાદર્શનની પ્રવૃત્તિ ✾
હવે સંસારી જીવોને મિથ્યાદર્શનની પ્રવૃત્તિ કેવી હોય છે તે અહીં કહીએ છીએ. અહીં
ચોથો અધિકારઃ મિથ્યાદર્શન – જ્ઞાન – ચારિત્રનું વિશેષ નિરૂપણ ][ ૮૧