૮૬] [મોક્ષશાસ્ત્ર
પૂર્ણતા પ્રત્યે જા.
પદાર્થમાં નિર્વિકલ્પ થા.
નિશ્ચયને જો.
પ્રત્યે આરૂઢ સ્થિતિ કર.
૧૪. એવંભૂત સ્થિતિથી એવંભૂતદ્રષ્ટિ શમાવ. = નિશ્ચયસ્થિતિથી નિશ્ચયદ્રષ્ટિના
પ્રશ્નઃ– જો વ્યવહારનય થી એટલે કે વ્યાકરણને અનુસરીને જે પ્રયોગ (અર્થ) થાય છે તેને તમે શબ્દનયથી દૂષિત કહેશો તો લોક અને શાસ્ત્રને વિરોધ આવશે?
ઉત્તરઃ– લોક ન સમજે તેથી વિરોધ ભલે કરે; અહીં યથાર્થ સ્વરૂપ (તત્ત્વ) વિચારવામાં આવે છે-પરીક્ષા કરવામાં આવે છે. ઔષધિ રોગીની ઇચ્છાનુસાર હોતી નથી. (સર્વાર્થસિદ્ધિ પાનું-પ૩૪.) જગત રોગી છે, તેને અનુકૂળ આવે એમ જ્ઞાનીઓ તત્ત્વનું સ્વરૂપ (ઔષધિ) ન કહે, પણ જેમ યથાર્થ સ્વરૂપ હોય તેમ તેઓ કહે. ૩૩.
પ્રશ્ન– આઠમા સૂત્રમાં (પાનું-૪૨) જ્ઞાનના સત્-સંખ્યાદિ આઠ ભેદો જ કેમ કહેવામાં આવ્યા છે, ઓછા કે વધારે કેમ કહ્યા નથી?
ઉત્તરઃ– નીચેના આઠ પ્રકારનો નિષેધ કરવા માટે તે આઠ ભેદો કહેવામાં આવ્યા છે.ઃ-