અ. ૧. પરિ. ૧] [૯૩
(૭) આત્માને આત્માથી જાણતો જીવ તે નિશ્ચયસમ્યગ્દ્રષ્ટિ છે. [પરમાત્મપ્રકાશ ગાથા-૮૨]
(૧) “ જ્ઞાનચેતનામાં ‘જ્ઞાન’ શબ્દથી જ્ઞાનમય હોવાના કારણે શુદ્ધાત્માનું ગ્રહણ છે અને તે શુદ્ધાત્મા જે-દ્વારા અનુભૂત થાય તેને જ્ઞાનચેતના કહે છે.” [પંચાધ્યાયી અ. ર. ગાથા ૧૯૬-ભાવાર્થ]
(ર) “તેનો ખુલાસો એ છે કે-આત્માનો જ્ઞાનગુણ સમ્યક્ત્વયુક્ત થતાં આત્મસ્વરૂપની જે ઉપલબ્ધિ થાય છે તેને જ્ઞાનચેતના કહે છે.” [પંચાધ્યાયી ગાથા-૧૯૭]
છે તેને સમ્યગ્દર્શનનું બાહ્ય લક્ષણ જાણવું કેમકે સમ્યગ્જ્ઞાન અને અનુભવની સાથે સમ્યગ્દર્શન અવિનાભાવી હોવાથી તે સમ્યગ્દર્શનને અનુમાનથી સિદ્ધ કરે છે. એ અપેક્ષાએ તેને વ્યવહારકથન કહેવામાં આવે છે, અને દર્શન (શ્રદ્ધા) ગુણ અપેક્ષાએ જે કથન છે તેને નિશ્ચયકથન કહેવામાં આવે છે.
(પ) દર્શનનું નિશ્ચય સ્વરૂપ એવું છે કે-ભગવાન પરમાત્મસ્વભાવના અતીન્દ્રિય સુખની રુચિ કરવાવાળા જીવમાં શુદ્ધ અંતરંગ આત્મિક તત્ત્વના આનંદને ઊપજવાનું ધામ એવા શુદ્ધ જીવાસ્તિકાયનું (પોતાના જીવસ્વરૂપનું) પરમ શ્રદ્ધાન, દ્રઢ પ્રતીતિ અને સાચો નિશ્ચય એ જ દર્શન છે. (આ વ્યાખ્યા સુખગુણની મુખ્યતાથી છે.)
દર્શન-જ્ઞાન-ચારિત્ર સંબંધી અનેકાન્ત સ્વરૂપ સમજવા લાયક હોવાથી અહીં કહેવામાં આવે છે.