Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 100 of 655
PDF/HTML Page 155 of 710

 

૯૮] [મોક્ષશાસ્ત્ર થયું છે તેને ‘ઉદય’ કહેવાનો ઉપચાર છે એટલે કે તે કર્મપર નિમિત્તનો આરોપ આવે છે. અને જો જીવ પોતે પોતાના સત્ય પુરુષાર્થ વડે વિકાર કરતો નથી-પોતાના પર્યાયનો ઘાત કરતો નથી તો દ્રવ્યકર્મોના તે જ સમૂહને ‘નિર્જરા’ નામ આપવામાં આવે છે. આ રીતે નિમિત્ત-નૈમિત્તિકસંબંધનું જ્ઞાન કરવા પૂરતો તે વ્યવહારકથનનો અર્થ થાય છે. જો બીજી રીતે (શબ્દો પ્રમાણે) અર્થ કરવામાં આવે તો સંબંધને બદલે કર્તાકર્મનો સંબંધ માનવા બરાબર થાય છે; અર્થાત્ ઉપાદાનનિમિત્ત, નિશ્ચય-વ્યવહાર એકરૂપ થઈ જાય છે; અથવા તો એક બાજુ જીવદ્રવ્ય અને બીજી બાજુએ અનંત પુદ્ગલ દ્રવ્યો (કર્મો)-તે અનંત દ્રવ્યોએ મળી જીવમાં વિકાર કર્યો એમ તેનો અર્થ થઈ જાય છે-કે જે બની શકે નહિ. આ નિમિત્ત-નૈમિત્તિકસંબંધ બતાવવા કર્મના ઉદયે જીવને અસર કરી-નુકસાન કર્યું -પરિણમાવ્યો વગેરે પ્રકારે ઉપચારથી કહેવાય છે, પણ તેનો જો તે શબ્દ પ્રમાણે જ અર્થ કરવામાં આવે તો તે ખોટો છે.

[જુઓ, શ્રી સમયસાર ગાથા ૧૨૨ થી ૧૨પ તથા ૩૩૭ થી ૩૪૪-નીચે અમૃતચન્દ્રાચાર્ય ની

ટીકા]

આ રીતે સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે પહેલાં તો સ્વદ્રવ્ય-પરદ્રવ્યની ભિન્નતા નક્કી કરવી, પછી શું કરવું તે હવે કહેવાય છે.

-૨-

સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની ભિન્નતા નક્કી કરી, પરદ્રવ્યો ઉપરનું લક્ષ છોડી સ્વદ્રવ્યના વિચારમાં આવવું, ત્યાં આત્મામાં બે પડખાં છે તે જાણવાં. એક પડખું- આત્માનું દરેક સમયે ત્રિકાળી અખંડ પરિપૂર્ણ ચૈતન્યસ્વભાવરૂપપણું દ્રવ્યે-ગુણે-પર્યાયે (વર્તમાન પર્યાયને ગૌણ કરતાં) છે, આત્માનું આ પડખું ‘નિશ્ચયનયનો વિષય છે. આ પડખાંને નક્કી કરનાર જ્ઞાનનું પડખું તે ‘નિશ્ચયનય’ છે.

બીજું પડખું-વર્તમાન પર્યાયમાં દોષ છે-વિકાર છે, તે નક્કી કરવું. આ પડખું વ્યવહારનયનો વિષય છે. આમ બે નયદ્વારા આત્માનાં બન્ને પડખાંને નક્કી કર્યા પછી, વિકારી પર્યાય ઉપરનું વલણ-લક્ષ છોડીને પોતાના ત્રિકાળી ચૈતન્યસ્વરૂપ તરફ વળવું. એ રીતે ત્રિકાળી દ્રવ્ય તરફ વળતાં-તે ત્રિકાળી નિત્ય પડખું હોવાથી -તેને આશ્રયે સમ્યગ્દર્શન પ્રગટે છે.

જોકે નિશ્ચયનય અને સમ્યગ્દર્શન એ બન્ને જુદા જુદા ગુણોના પર્યાય છે તોપણ તે બન્નેનો વિષય એક છે-અર્થાત્ તે બન્નેનો વિષય એક અખંડ, શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યસ્વરૂપ આત્મા છે, તેને બીજા શબ્દોમાં ‘ત્રિકાળી જ્ઞાયકસ્વરૂપ’ કહેવામાં આવે