અનેકાન્ત છે.
માનવું તે સાચું અનેકાન્ત નથી પણ મિથ્યા-અનેકાન્ત છે, એ
પ્રમાણે નિઃસંદેહ નિર્ણય કરવો તે જ અનેકાન્ત વિદ્યા છે.
પરસ્પર વિરુદ્ધતા લક્ષણ સહિત છે તે તેવું ન રહીને) એકમેક થઈ
જાય અને તેથી નિશ્ચય અને વ્યવહાર બન્નેનો નાશ થઈ જાય.
અને નિમિત્તમાત્ર છે. જો તેમના આશ્રયથી અંશ માત્ર પણ નિશ્ચય
ધર્મ પ્રગટ થઈ શકે છે એમ માનવામાં આવે તો તે ઉપાયો
અમુખ્ય ન રહીને, મુખ્ય (નિશ્ચય) થઈ જાય એમ સમજવું,
અમુખ્ય એટલે ગૌણ અને ગૌણ (ઉપાય) ને હેય=છોડવાયોગ્ય
કહેલ છે (જુઓ, પ્રવચનસાર ગાથા પ૩ ની ટીકા.)
જે જીવે સ્વસન્મુખ થઈને નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટ કર્યું હોય તેવા જીવને નિમિત્ત-જે અમુખ્ય ઉપાય છે તે કેવાં કેવાં હોય છે તે આ સૂત્રમાં બતાવ્યું છે. નિમિત્ત પરપદાર્થ છે તેને જીવ મેળવી શકે નહીં; લાવી શકે કે ગ્રહણ કરી શકે નહીં.
વળી આ વિષયમાં મોક્ષમાર્ગ-પ્રકાશક પાનું ર૯૯ (આવૃત્તિ સાત) એમ કહ્યું છે કે “માટે જે જીવ પુરુષાર્થ કરીને મોક્ષનો ઉપાય કરે છે, તેને તો સર્વ કારણો મળે છે, અને તેને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે, એમ નક્કી કરવું.”
શ્રી પ્રવચનસાર ગા. ૧૬ની ટીકામાં શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ પણ કહે છે કે- “નિશ્ચયથી પર (દ્રવ્ય) સાથે આત્માને કારકતાનો સંબંધ નથી, કે જેથી શુદ્ધાત્મસ્વભાવની પ્રાપ્તિને માટે સામગ્રી (બાહ્ય સાધન) ગોતવાની વ્યગ્રતાથી જીવ (વ્યર્થ) પરતંત્ર થાય છે.”