અ. ૧. પરિ. ૧] [૧૨૩ થઈ જશે એટલો સંબંધ બતાવવા માટે તે નિશ્ચયસમ્યગ્દર્શનને શ્રદ્ધા અને ચારિત્રની એકત્વઅપેક્ષાએ વ્યવહારસમ્યગ્દર્શન કહેવામાં આવે છે.
સાતમે અને આગળના ગુણસ્થાને સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્રની એકતા હોય છે તેથી તે વખતના સમ્યક્ત્વમાં નિશ્ચય અને વ્યવહાર એવા બે ભેદ પડતા નથી તેથી ત્યાં જે સમ્યકત્વ વર્તે છે તેને ‘નિશ્ચયસમ્યગ્દર્શન’ જ કહેવામાં આવે છે.
(જુઓ, પરમાત્મપ્રકાશ અધ્યાય ૧ ગાથા ૮પ નીચેની સંસ્કૃત તથા હિંદી ટીકા. આવૃત્તિ બીજી પા. ૯૦; તથા પરમાત્મપ્રકાશ અધ્યાય ર ગાથા ૧૭-૧૮ નીચેની સંસ્કૃત તથા હિંદી ટીકા, આવૃત્તિ બીજી પા. ૧૪૬-૧૪૭; અને હિંદી સમયસારમાં જયસેનઆચાર્યની સંસ્કૃત ટીકા, ગાથા ૧ર૧-૧રપ નીચે, પાનું ૧૮૬ તથા હિંદી સમયસાર ટીકામાં જયસેનઆચાર્યની ટીકાનો અનુવાદ પા. ૧૧૬.)