Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 710

 

[૨૧]
ર૩. પંચાસ્તિકાય ગાથા ૧૬પ, ૧૬૬-૬૭-૬૮-૬૯,
ર૪. શ્રી સમયસારજી કળશ ઉપર પં. બનારસી નાટકમાં પુણ્ય-પાપ અધિકાર

કળશ, ૧ર પૃ. ૧૩૧, ૩ર કળશ ૭ પાનું રર૬-૨૭ કળશ ૮ પાનું રર૭-ર૮

રપ. શ્રી સમયસારજી મૂળ ગાથા ટીકા ગાથા ૬૯-૭૦-૭૧-૭ર-૭૪-૯ર

ગાથા ૩૮ તથા ટીકા, ગાથા ર૧૦, ર૧૪, ર૭૬, ર૭૭-ર૯૭ ગાથા ટીકા સહિત વાંચવી.

ર૬. ગાથા ૧૪પ થી ૧પ૧. ૧૮૧ થી ૧૮૩ પાનું ર૯પ (પરસ્પર અત્યન્ત

સ્વરૂપવિપરીતતા હોવાથી...)

ર૭. ગાથા ૩૦૬-૭, (શુભભાવ વ્યવહારચારિત્ર નિશ્ચયથી વિષકુંભ), ર૯૭

ગાથામાં શ્રી જયસેનાચાર્યની ટીકામાં પણ સ્પષ્ટ ખુલાસો છે,

ર૮. શ્રી મોક્ષમાર્ગ-પ્રકાશક (ગુજરાતી) પાનું નં. ૩, ર૭-ર૮-૩૦-૩૧-૩ર-
૩૩-૩પ-૩૬-૩૭-૩૮, ર૪૦, ર૪૩ થી ર૪૭ (ર૪૭ થી રપ૧ સુધી
ખાસ વાત છે) ર૬૩, ર૬૯, ર૯૯, ૩૦૮-૩૦૯.
વ્યવહાર નયના સ્વરૂપની મર્યાદા

(૧૧) સમયસાર ગાથા ૮ ની ટીકામાં કહ્યું છે કે “વ્યવહારનય મ્લેચ્છ ભાષાના સ્થાને હોવાથી પરમાર્થને કહેનાર છે માટે, વ્યવહારનય સ્થાપિત કરવા યોગ્ય છે પરંતુ તે વ્યવહારનય અનુસરવા યોગ્ય નથી.” પછી ગા. ૧૧ ની ટીકામાં કહ્યું કે વ્યવહારનય બધોય અભૂતાર્થ છે માટે તે અવિદ્યમાન, અસત્ય અર્થને, અભૂત અર્થને પ્રગટ કરે છે; શુદ્ધ નય એક જ ભૂતાર્થ હોવાથી સત્ય, ભૂત અર્થને પ્રગટ કરે છે. પછી કહ્યું કે તેથી જેઓ શુદ્ધનયનો આશ્રય કરે છે તેઓ જ સમ્યક્ અવલોકન કરવાથી સમ્યગ્દ્રષ્ટિ છે, અન્ય સમ્યગ્દ્રષ્ટિ નથી માટે કર્મોથી ભિન્ન આત્માને દેખનારાઓ માટે વ્યવહારનય અનુસરવા યોગ્ય નથી.”

૧૧મી ગાથાના ભાવાર્થમાં પં. જયચંદ્રજીએ કહ્યું છે કે- પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિ કાળથી છે જ, અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. અને જિનવાણીમાં વ્યવહાર નયનો ઉપદેશ શુદ્ધનયનો હસ્તાવલંબન (સહાયક) જાણી બહુ કર્યો છે; પરંતુ તેનું ફળ સંસાર જ છે. શુદ્ધનયનો પક્ષ તો આવ્યો જ નથી અને તેનો ઉપદેશ પણ વિરલ છે, શાસ્ત્રોમાં કોઈ કોઈ ઠેકાણે જ છે. તેથી ઉપકારી શ્રીગુરુએ શુદ્ધનયના ગ્રહણનું ફળ મોક્ષ જાણી તેનો ઉપદેશ પ્રધાનતાથી આપ્યો