અ. ૩ સૂત્ર ૧૨ થી ૧૬ ] [ ૨૪૭ ર-મહાહિમવત્, ૩-નિષધ, ૪-નીલ, પ-રુકિમ અને ૬-શિખરિન એ છ વર્ષધર- કુલાચલ-પર્વત છે. [વર્ષ = ક્ષેત્ર]।। ૧૧।।
અર્થઃ– ઉપર કહેલા પર્વતો ક્રમથી ૧-સુવર્ણ, ર-ચાંદી, ૩-તાવેલું સોનું, ૪- વૈડૂર્ય (નીલ) મણિ, પ-ચાંદી અને ૬-સુવર્ણ જેવા રંગના છે. ।। ૧૨।।
અર્થઃ– આ પર્વતોના તટ ચિત્ર-વિચિત્ર મણિઓના છે અને ઉપર, નીચે તથા મધ્યમાં એકસરખા વિસ્તારવાળા છે. ।। ૧૩।।
पद्ममहापद्मतिगिञ्छकेशरिमहापुण्डरीकपुण्डरीका ह्रदाम्तेषामुपरि।। १४।।
અર્થઃ– એ પર્વતોની ઉપર ક્રમથી ૧-પદ્મ, -મહાપદ્મ, ૩-તિગિઞ્છ, ૪-કેશરિ, પ-મહાપુંડરીક અને ૬-પુંડરીક નામના સરોવરો છે. ।। ૧૪।।
અર્થઃ– પહેલું પદ્મસરોવર એક હજાર યોજન લાંબુ અને લંબાઈથી અર્ધું અર્થાત્ પાંચસો યોજન વિસ્તારવાળું છે. ।। ૧પ।।