Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 271 of 655
PDF/HTML Page 326 of 710

 

અ. ૩ ઉપસંહાર ] [ ૨૬૯ રહેશે. જેમ જીવાદિક પદાર્થો આ લોકમાં અનાદિનિધન છે તેમ આ પણ અનાદિ- નિધન સમજવા.

આ રીતે, યથાર્થ શ્રદ્ધાનવડે લોકમાં સર્વ પદાર્થો અકૃત્રિમ, જુદા જુદા, અનાદિ-નિધન જાણવા. જે કોઈ કૃત્રિમ ઘરબાર-ઇંદ્રિયગમ્ય વસ્તુઓ નવી દેખાય છે તે તો અનાદિનિધન પુદ્ગલદ્રવ્યોના સંયોગી પર્યાયો છે, તેમાંના પુદ્ગલો કાંઈ નવા બન્યા નથી. માટે જો જીવનિરર્થક ભ્રમ વડે સાચ-જૂઠનો જ નિશ્ચય ન કરે તો તે સાચું સ્વરૂપ જાણે નહિ. દરેક જીવ પોતાની શ્રદ્ધાનું ફળ પામે છે માટે લાયક જીવોએ સમ્યક્શ્રદ્ધા કરવી.

સાત નરકભૂમિ. બીલ, લેશ્યા, આયુષ્ય, દ્વીપ, સમુદ્ર, પર્વત, સરોવર, નદી, મનુષ્ય-તિર્યંચનાં આયુષ્ય ઈત્યાદિનું વર્ણન કરી શ્રી આચાર્યદેવે ત્રીજો અધ્યાય પૂરો કર્યો.

આ રીતે, ત્રીજા અધ્યાયમાં અધોલોક અને મધ્યલોકનું વર્ણન કર્યુ. હવે, ઉર્ધ્વલોકનું વર્ણન ચોથા અધ્યાયમાં આવશે.

એ પ્રમાણે શ્રી ઉમાસ્વામી વિરચિત મોક્ષશાસ્ત્રના
ત્રીજા અધ્યાયની ગુજરાતી ટીકા પૂરી થઈ.