૨૯૪ ] [ મોક્ષશાસ્ત્ર
અર્થઃ– પહેલી નરકના નારકીઓનું જઘન્ય આયુષ્ય દસ હજાર વર્ષનું છે. (નારકીઓના ઉત્કૃષ્ટ આયુષ્યનું વર્ણન ત્રીજા અધ્યાયના છઠ્ઠા સૂત્રમાં કર્યું છે.)।। ૩૬।।
અર્થઃ– ભવનવાસી દેવોનું પણ જઘન્ય આયુષ્ય દસ હજાર વર્ષનું છે. ।। ૩૭।।
અર્થઃ– વ્યંતરદેવોનું પણ જઘન્ય આયુષ્ય દસ હજાર વર્ષનું છે.।। ૩૮।।
અર્થઃ– વ્યંતર દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમથી કંઈક અધિક છે. ।। ૩૯।।
અર્થઃ– જ્યોતિષી દેવોનું પણ ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમથી કંઈક અધિક છે.।। ૪૦।।
અર્થઃ– જ્યોતિષી દેવોનું જઘન્ય આયુષ્ય એક પલ્યોપમના આઠમા ભાગનું છે.।। ૪૧।।
लौकांतिकानामष्टौ सागरोपमाणी सर्वेषाम्।। ४२।।
અર્થઃ– સમસ્ત લૌકાંતિક દેવોનું જઘન્ય તેમ જ ઉત્કૃષ્ટ આયુષ્ય આઠ સાગર પ્રમાણ છે. ।। ૪ર।।