Moksha Shastra (Gujarati). Sutra: 30 (Chapter 5).

< Previous Page   Next Page >


Page 342 of 655
PDF/HTML Page 397 of 710

 

અ. પ સૂત્ર ૨૯ ] [ ૩૪૧ વડે દ્રવ્યનું હોવાપણું નક્કી થાય છે. જો દ્રવ્ય હોય તો જ બીજા ગુણો હોઈ શકે, માટે ‘सत्’ ને અહીં દ્રવ્યનું લક્ષણ કહ્યું છે.

(૧૩) દરેક દ્રવ્યનાં વિશેષ લક્ષણો પૂર્વે કહેવામાં આવ્યા છે. તે નીચે મુજબ છે-(૧) જીવ-અધ્યાય ૨, સૂ. ૧ તથા ૮. (૨) અજીવના પાંચ પ્રકારમાંથી પુદ્ગલ- અધ્યાય પ, સૂત્ર ૨૩. ધર્મ અને અધર્મ-અધ્યાય પ, સૂત્ર ૧૭. આકાશ-અધ્યાય પ, સૂત્ર ૧૮. અને કાળ-અધ્યાય પ, સૂત્ર ૨૨.

જીવ તથા પુદ્ગલની વિકારી અવસ્થાનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ આ અધ્યાયના સૂત્ર ૧૯-૨૦-૨૧-૨૪-૨પ-ર૬-૨૭-૨૮-૩૩-૩પ-૩૬-૩૭-૩૮ માં આપ્યો છે; તેમાં જીવનો એકબીજા વચ્ચેનો સંબંધ ગાથા ૨૦ માં બતાવ્યો. જીવનો પુદ્ગલ સાથેનો સંબંધ સૂત્ર ૧૯-૨૦ માં બતાવ્યો. પુદ્ગલનો પરસ્પર સંબંધ બાકીનાં સૂત્રોમાં જણાવ્યો.

(૧૪) ‘દ્રવ્ય સત્ છે’ માટે પોતાથી છે, એમ ‘सत्’ લક્ષણ કહેવાથી સિદ્ધ થયું; તેનો અર્થ એ થયો કે તે સ્વપણે છે અને પરપણે નથી. ‘અસ્તિ’ પણું પ્રગટપણે અને ‘નાસ્તિ’ પણું ગર્ભિતપણે આ સૂત્રમાં કહી એમ જણાવ્યું કે દ્રવ્ય પોતે પોતાથી અને પર પરપણે હોવાથી એક દ્રવ્ય પોતે પોતાનું બધું કરી શકે પણ બીજા દ્રવ્યનું કદી કાંઈ કરી શકે નહિ. આ સિદ્ધાંતનું નામ ‘અનેકાંત’ છે અને તે આ અધ્યાયના સૂત્ર ૩૨ માં જણાવ્યો છે.

(૧પ) દરેક દ્રવ્ય ‘सत्’ લક્ષણવાળું છે એટલે કે સ્વતઃસિદ્ધ તથા કોઈની અપેક્ષા નહિ રાખતું હોવાથી તે સ્વતંત્ર છે. ।। ૨૯।।

સત્નું લક્ષણ
उत्पादव्ययध्रौव्ययुक्तं सत्।। ३०।।

અર્થઃ– [उत्पादव्ययध्रौव्ययुक्तं] જે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસહિત હોય [सत्] તે સત્ છે.

ટીકા

(૧) ‘सत्’ સંબંધે જગતમાં ઘણી ખોટી માન્યતા ચાલે છે. કેટલાક ‘સત્’ ને સર્વથા કૂટસ્થ-કદી ન બદલે તેવું માને છે; કેટલાક ‘સત્’ ને જ્ઞાનગોચર નથી એમ કહે છે; તેથી ‘સત્’ નું ખરું ત્રિકાળી અબાધિત સ્વરૂપ આ સૂત્રમાં કહ્યું છે.

(૨) દરેક વસ્તુનું સ્વરૂપ ‘ટકીને બદલવું’ એવું છે, તેને ઈંગ્લિશમાં Permanancy With a Change (બદલવા સાથે કાયમપણું) કહે છે. તેને બીજી રીતે એમ પણ કહે છે કે No substance is destroyed, every substance changes its form