અ. પ ઉપસંહાર ] [ ૩૮પ
જ્યોં જહાજ પર વાહમેં, તિરે સહજ વિન પૌન. ૬
અર્થઃ– પ્રત્યેક વસ્તુ વસ્તંત્રતાથી પોતાની અવસ્થાને (-કાર્યને) પ્રાપ્ત કરે છે ત્યાં નિમિત્ત કોણ? જેમ વહાણ પ્રવાહમાં સહેજે જ પવન વિના જ તરે છે.
ભાવાર્થઃ– જીવ અને પુદ્ગલ દ્રવ્ય શુદ્ધ કે અશુદ્ધ અવસ્થામાં સ્વતંત્રપણે જ પોતાના પરિણામો કરે છે. અજ્ઞાની જીવ પણ સ્વતંત્રપણે નિમિત્તાધીન પરિણમન કરે છે. કોઈ નિમિત્ત તેને આધીન બનાવી શક્તું નથી. ૬.
વસે જુ જૈસે દેશમેં; કરે સુ તૈસે ભેષ. ૭
ભાવાર્થઃ– ઉપાદાનનું કથન એક ‘યોગ્યતા’ શબ્દ દ્વારા જ થાય છે. ઉપાદાન પોતાની યોગ્યતાથી અનેક પ્રકારે પરિણમન કરે છે ત્યારે ઉપસ્થિત નિમિત્ત પર ભિન્ન ભિન્ન કારણપણાનો આરોપ (-ભેષ) આવે છે. ઉપાદાનની વિઘિ નિર્વચન હોવાથી નિમિત્ત દ્વારા આ કાર્ય થયું એમ વ્યવહારથી કહેવાય છે.
વિશેષાર્થઃ– ઉપાદાન જ્યારે જેવું કાર્ય કરે છે ત્યારે તેવા કારણપણાનો આરોપ (-ભેષ) નિમિત્ત ઉપર આવે છે. જેમ કોઈ વજ્રકાયવાળો પુરુષ સાતમા નરકને યોગ્ય મલિન ભાવ કરે તો વજ્રકાયશરીર ઉપર નરકના કારણપણાનો આરોપ આવે છે અને જો જીવ મોક્ષને યોગ્ય નિર્મળભાવ કરે તો તે જ નિમિત્ત પર મોક્ષના કારણપણાનો આરોપ આવે છે. આ રીતે ઉપાદાનના કાર્યાનુસાર નિમિત્તનાં કારણપણાનો ભિન્ન ભિન્ન આરોપ કરવામાં આવે છે. એથી એમ સિદ્ધ થાય છે કે નિમિત્તથી કાર્ય થતું નથી પરંતુ કથન થાય છે. માટે ઉપાદાન સાચું કારણ છે અને નિમિત્ત આરોપિત્ત કારણ છે. ૧૩૪ પુદ્ગલ કર્મ, યોગ ઇન્દ્રિયોના ભોગ, ધન, ઘરના માણસો, મકાન ઇત્યાદિ આ
જીવને રાગ-દ્વેષ પરિણામનાં પે્રરક છે? ૧૩૪ નહીં, છએ દ્રવ્ય સર્વ પોતાના સ્વરૂપથી સદા અસહાય (-સ્વતંત્ર) પરિણમન
કરે છે, કોઈ દ્રવ્ય કોઈનું પે્રરક કદી નથી તેથી કોઈ પણ પરદ્રવ્ય રાગદ્વેષનું પે્રરક નથી પરંતુ મિથ્યાત્વ મોહરૂપ મદિરાપાન છે તે જ (અનંતાનુબંધી) રાગદ્વેષનું કારણ છે. ૧૩પ પુદ્ગલ કર્મની જોરાવરીથી જીવને રાગદ્વેષ કરવા પડે છે, પુદ્ગલદ્રવ્ય કર્મોનો