Moksha Shastra (Gujarati). Sutra: 4 (Chapter 6).

< Previous Page   Next Page >


Page 399 of 655
PDF/HTML Page 454 of 710

 

૩૯૮ ] [ મોક્ષશાસ્ત્ર

ઉત્તરઃ– આ સૂત્રમાં કહેલી તત્ત્વદ્રષ્ટિથી જોતાં એ માન્યતા ભૂલ ભરેલી છે; શુભભાવથી પુણ્યનો બંધ થાય છે, બંધ તે સંસાર છે, અને સંવરપૂર્વક નિર્જરા તે ધર્મ છે. જો શુભભાવથી પાપની નિર્જરા મ માનીએ તો તે (શુભભાવ) ધર્મ થયો; ધર્મથી બંધ કેમ થાય? માટે શુભભાવથી જૂનાં પાપકર્મની નિર્જરા થાય (આત્મપ્રદેશેથી પાપકર્મ ખરી જાય) -એ માન્યતા સાચી નથી. નિર્જરા શુદ્ધભાવથી જ થાય છે એટલે કે તત્ત્વદ્રષ્ટિ વગર સંવર પૂર્વક નિર્જરા થાય નહિ.

૮. ત્રીજા સૂત્રનો સિદ્ધાંત

શુભભાવ અને અશુભભાવ બન્ને કષાય છે, તેથી તે સંસારનું કારણ છે. શુભભાવ વધતાં વધતાં તેનાથી શુદ્ધભાવ થાય જ નહિ. જ્યારે શુદ્ધના લક્ષે શુભ ટાળે ત્યારે શુદ્ધતા થાય. જેટલા અંશે શુદ્ધતા પ્રગટે તેટલા અંશે ધર્મ છે. શુભ કે અશુભમાં ધર્મનો અંશ પણ નથી એમ માનવું તે યથાર્થ છે; તે માન્યતા કર્યા વિના સમ્યગ્દર્શન કદી થાય નહિ. શુભયોગ તે સંવર છે એમ કેટલાક માને છે-તે અસત્ય છે એમ બતાવવા આ સૂત્રમાં બન્ને યોગને સ્પષ્ટપણે આસ્રવ કહ્યા છે. ।। ।।

આસ્રવ સર્વે સંસારીઓને સમાન ફળનો હેતુ થાય છે કે તેમાં
વિશેષતા છે તેનો ખુલાસો

सकषायाकषाययोः साम्परायिकेर्यांपथयोः।। ४।।

અર્થઃ– [सकषायस्य साम्परायिकस्य] કષાયસહિત જીવને સંસારના કારણરૂપ

કર્મનો આસ્રવ થાય છે અને [अकषायस्य ईर्यापथस्य] કષાયરહિત જીવને સ્થિતિરહિત કર્મનો આસ્રવ થાય છે.

ટીકા

૧. કષાયનો અર્થ મિથ્યાદર્શનરૂપ-ક્રોધાદિ થાય છે. સમ્યગ્દ્રષ્ટિ જીવોને મિથ્યાદર્શનરૂપ કષાય હોતો નથી એટલે સમ્યગ્દ્રષ્ટિ જીવોને લાગુ પડતો કષાયનો અર્થ ‘પોતાની નબળાઈથી થતા ક્રોધ-માન-માયા-લોભ વગેરે’ એવો સમજવો. મિથ્યાદર્શન એટલે આત્માના સ્વરૂપની મિથ્યામાન્યતા-ઊંધી માન્યતા.

ર. સામ્પરાયિક આસ્રવ– આ આસ્રવ સંસારનું જ કારણ છે. મિથ્યાત્વભાવરૂપ આસ્રવ અનંત સંસારનું કારણ છે; મિથ્યાત્વનો અભાવ થયા પછી થતો ભાવાસ્રવ અલ્પ સંસારનું કારણ છે.