૪૦૬ ] [ મોક્ષશાસ્ત્ર મૂકવી તે અપ્રત્યવેક્ષિત નિક્ષેપાધિકરણ છે, ર. યત્નાચારરહિત થઈને વસ્તુ મૂકવી તે દુઃખપ્રમૃષ્ટનિક્ષેપાધિકરણ છે, ૩. ભયાદિકથી કે અન્ય કાર્ય કરવાની ઉતાવળમાં પુસ્તક, કમંડળ, શરીર કે શરીરાદિના મેલને મૂકવા તે સહસાનિક્ષેપાધિકરણ છે અને ૪. જીવ છે કે નહિ તે જોયા વગર કે વિચાર કર્યા વગર શીઘ્રતાથી પુસ્તક, કમંડળ, શરીર કે શરીરના મેલને મૂકવા (-નાંખવા) અને વસ્તુ જ્યાં રાખવી જોઈએ ત્યાં ન રાખવી તે અનાભોગનિક્ષેપાધિકરણ છે.
સંયોગઃ– મિલાપ થવો તે સંયોગ છે; તેના બે ભેદ છેઃ ૧. ભક્તપાન સંયોગ અને ર. ઉપકરણ સંયોગ. એક આહારપાણીને બીજા આહારપાણી સાથે મેળવી દેવા તે ભક્તપાન સંયોગ છે; અને ઠંડા, પુસ્તક, કમંડળ, શરીરાદિકને તપ્ત પીંછી વગેરેથી પીછવું તથા શોધવું તે ઉપકરણ સંયોગ છે.
નિસર્ગ– પ્રવર્તવું તે નિસર્ગ છે; તેના ત્રણ ભેદ છેઃ ૧. મનને પ્રવર્તાવવું તે મન નિસર્ગ છે, ર. વચનોને પ્રવર્તાવવાં તે વચન નિસર્ગ છે અને ૩. કાયાને પ્રવર્તાવવી તે કાયનિસર્ગ છે.
નોંધ– જ્યાં જ્યાં પરનું કરવાની વાત જણાવી છે ત્યાં ત્યાં વ્યવહારકથન છે એમ સમજવું. જીવ પરનું કાઈ કરી શકતો નથી તેમ જ પરપદાર્થો જીવનું કાંઈ કરી શકતા નથી; પણ માત્ર નિમિત્ત-નૈમિત્તિકસંબંધ દર્શાવનારું આ સૂત્રનું કથન છે. ।। ૯।।
અહીં સુધી સામાન્ય–આસ્રવનાં કારણો કહ્યાં; હવે વિશેષ આસ્રવનાં કારણો વર્ણવે છે, તેમાં દરેક કર્મના આસ્રવનાં કારણો બતાવે છે.
અર્થઃ– [तत्प्रदोष] જ્ઞાન અને દર્શન સંબંધમાં કરવામાં આવેલા પ્રદોષ, [निह्नव मात्सर्य अन्तराय आसादन उपघाताः] નિહ્નવ, માત્સર્ય, અંતરાય, આસાદન અને ઉપઘાત તે [ज्ञानदर्शनावरणयोः] જ્ઞાનાવરણ તથા દર્શનાવરણ કર્માઆસ્રવનાં કારણો છે.
૧. પ્રદોષ– મોક્ષનું કારણ અર્થાત્ મોક્ષનો ઉપાય તત્ત્વજ્ઞાન છે, તેનું કથન કરનારા પુરુષની પ્રશંસા ન કરતાં અંતરંગમાં દુષ્ટ પરિણામ થાય તે પ્રદોષ છે.