અ. ૬. સૂત્ર ૧૧ ] [ ૪૦૯ [दुःख शोक ताप आक्रन्दन वध परिदेवनानि] દુઃખ, શોક, તાપ, આક્રંદન, વધ અને પરિદેવના તે [असत् वेद्यस्य] અસાતાવેદનીય કર્માઆસ્રવનાં કારણો છે.
૧. દુઃખ–પીડારૂપ પરિણામવિશેષને દુઃખ કહે છે. શોક– પોતાને લાભદાયક લાગતા પદાર્થનો વિયોગ થતાં વિકળતા થવી તે શોક છે.
તાપ- સંસારમાં પોતાની નિંદા વગેરે થતાં પશ્વાત્તાપ થવો તે તાપ છે. આક્રંદન– પશ્ચાત્તાપથી અશ્રુપાત કરીને રોવું તે આક્રંદન છે. વધ–પ્રાણોનો વિયોગ કરવો તે વધ છે. પરિદેવના–સંકલેશ પરિણામોના આલંબને એવું રૂદન કરવું કે જેથી સાંભળનારના હૃદયમાં દયા ઉત્પન્ન થઈ જાય તે પરિદેવના છે.
શોક, તાપ વગેરે જો કે દુઃખના જ ભેદો છે, તોપણ દુઃખની જાતિઓ બતાવવા માટે આ ભેદો બતાવ્યા છે.
ર. પોતાને, પરને કે બન્નેને એક સાથે દુઃખ, શોકાદિ ઉત્પન્ન કરે તે અસાતાવેદનીય કર્મના આસ્રવનું કારણ થાય છે.
પ્રશ્નઃ– જો દુઃખાદિક પોતામાં, પરમાં કે બન્નેમાં સ્થિત થવાથી અસાતાદેવનીય કર્મના આસ્રવનું કારણ થાય છે તો અર્હન્તમતને માનનારા જીવો કેશ-લોંચ, અનશનતપ, આતપસ્થાન વગેરે દુઃખનાં નિમિત્તો પોતામાં કરે છે અને બીજાને પણ તેવો ઉપદેશ આપે છે તો તેથી તેમને પણ અસાતાવેદનીય કર્મનો આસ્રવ થશે?
ઉત્તરઃ– ના, એ દૂષણ નથી. અંતરંગ ક્રોધાદિક પરિણામોના આવેશપૂર્વક પોતાને, પરને કે બન્નેને દુઃખાદિ આપવાના ભાવ હોય તો જ તે અસાત્તાવેદનીય કર્મના આસ્રવનું નિમિત્ત થાય છે- આ વિશેષ કથન ધ્યાનમાં રાખવું. ભાવાર્થ એ છે કે-અંતરંગ ક્રોધાદિને વશ થવાથી આત્માને જે દુઃખ થાય છે તે દુઃખ કેશલોચ, અનશનતપ કે આતાપયોગ વગેરે ધારણ કરવામાં સમ્યગ્દ્રષ્ટિ મુનિને થતું નથી, માટે તેનાથી તેમને અસાતાવેદનીયનો આસ્રવ થતો નથી, તે તો તેમનો શરીર પ્રત્યેનો વૈરાગ્યભાવ છે.
આ વાત દ્રષ્ટાંત દ્વારા સમજાવવામાં આવે છેઃ- દ્રષ્ટાંતઃ– જેમ કોઈ દયાના અભિપ્રાયવાળા અને શલ્યરહિત વૈદ્ય સંયમી પુરુષના ફોડલાને કાપવા કે ચીરવાનું કામ કરે અને તે પુરુષને દુઃખ થાય છતાં તે બાહ્ય નિમિત્તમાત્રના કારણે પાપબંધ થતો નથી, કેમ કે વૈદ્યના ભાવ તેને દુઃખ આપવાના નથી.