Moksha Shastra (Gujarati). Sutra: 12 (Chapter 6).

< Previous Page   Next Page >


Page 411 of 655
PDF/HTML Page 466 of 710

 

૪૧૦ ] [ મોક્ષશાસ્ત્ર

સિદ્ધાંતઃ– તેમ સંસાર સંબંધી મહા દુઃખથી ઉદ્વિગ્ન થયેલ મુનિ સંસાર સંબંધી મહાદુઃખનો અભાવ કરવાના ઉપાય પ્રત્યે લાગી રહ્યા છે તેઓને સંકલેશપરિણામનો અભાવ હોવાથી શાસ્ત્રમાં વિદ્યાન કરવામાં આવેલાં કાર્યોમાં પોતે પ્રવર્તવાથી કે બીજાને પ્રવર્તાવવાથી પાપબંધ થતો નથી, કેમ કે તેમનો અભિપ્રાય દુઃખ આપવાનો નથી; નબળાઈના કારણે કિંચિત્ બાહ્ય દુઃખ થાય તોપણ તે અસાતાવેદનીયના આસ્રવનું કારણ નથી.

૩. આ સૂત્રનો સિદ્ધાંત

બાહ્ય નિમિત્તોને અનુસરીને આસ્રવ કે બંધ થતો નથી, પણ જીવ પોતે જેવા ભાવ કરે તે ભાવને અનુસરીને આસ્રવ અને બંધ થાય છે. જો જીવ પોતે વિકાર ભાવ કરે તો બંધ થાય, અને પોતે વિકાર ભાવ ન કરે તો બંધ ન થાય।। ૧૧।।

સાતાવેદનીયના આસ્રવનાં કારણો
भूतव्रत्यनुकम्पादानसरागसंयमादियोगः क्षान्तिः
शौचमिति सद्वेद्यस्य।। १२।।

અર્થઃ– [भूत व्रती अनुकम्पा] પ્રાણીઓ પ્રત્યે અને વ્રતના ધારકો પ્રત્યે અનુકંપા [दान सरागसंयमादीयोगः] દાન, સરાગ-સંયમાદિના યોગ, [क्षान्ति शौचम् इति] ક્ષાન્તિ શૌચ, અર્હન્તભક્તિ ઇત્યાદિ [सत् वेद्यस्य] સાતાવેદનીય કર્માઆસ્રવનાં કારણો છે.

ટીકા

૧. ભૂત = ચારે ગતિનાં પ્રાણીઓ, વ્રતી = સમ્યગ્દર્શનપૂર્વક અણુવ્રત કે મહાવ્રત ધારણ કરેલ હોય તેવા જીવો; આ બન્ને ઉપર અનુકંપા કરવી તે ભૂતવ્રત્યનુકંપા છે. પ્રશ્નઃ– ‘ભૂત’ કહેતાં તેમાં બધા જીવો આવી ગયા તો પછી ‘વ્રતી’ જણાવવાની શું જરૂર છે?

ઉત્તરઃ– સામાન્ય પ્રાણીઓ કરતાં વ્રતી જીવો પ્રત્યે અનુકંપાનું વિશેષપણું જણાવવા માટે તે કહેલ છે; વ્રતી જીવો પ્રત્યે ભક્તિપૂર્વક ભાવ હોવા જોઈએ.

દાન= દુઃખિત, ભૂખ્યા વગેરે જીવોના ઉપકાર અર્થે ધન, ઔષધિ, આહારાદિક દેવાં તથા વ્રતી સમ્યગ્દ્રષ્ટિ સુપાત્ર જીવોને ભક્તિપૂર્વક દાન આપવું તે દાન છે.