Moksha Shastra (Gujarati). Sutra: 14 (Chapter 6).

< Previous Page   Next Page >


Page 420 of 655
PDF/HTML Page 475 of 710

 

અ. ૬ સૂત્ર ૧૪ ] [ ૪૧૯

ચારિત્રમોહના આસ્રવનું કારણ

कषायोदयात्तीव्रपरिणामश्चारित्रमोहस्य ।। १४।।

અર્થઃ– [कषायउदयात्] કષાયના ઉદયથી [तीव्र परिणामः] તીવ્ર પરિણામ

થાય તે [चारित्रमोहस्य] ચારિત્રમોહનીયના આસ્રવનું કારણ છે.

ટીકા

૧. કષાયની વ્યાખ્યા આ અધ્યાયના પાંચમા સૂત્રમાં આવી ગઈ છે. ઉદયનો અર્થ વિપાક-અનુભવ છે. જીવ કષાયકર્મના ઉદયમાં જોડાઈને જેટલો રાગ-દ્વેષ કરે તેટલો કષાયનો ઉદય-વિપાક-અનુભવ તે જીવને થયો એમ કહેવાય. કષાયકર્મના ઉદયમાં જોડાતાં જીવને તીવ્રભાવ થાય તે ચારિત્રમોહનીયકર્મના આસ્રવનું કારણ (નિમિત્ત) છે એમ સમજવું.

ર. ચારિત્રમોહનીયના આસ્રવનું આ સૂત્રમાં સંક્ષેપથી વર્ણન છે; તેનો વિસ્તાર નીચે પ્રમાણે છે-

(૧) પોતાને તથા પરને કષાય ઉપજાવવો; (ર) તપસ્વી જનોને ચારિત્રદોષ લગાડવો; (૩) સંકલેશ પરિણામને ઉપજાવવાવાળા વેષ-વ્રત વગેરે ધારણ કરવા; એ

વગેરે લક્ષણવાળા પરિણામ કષાય કર્મના આસ્રવનું કારણ છે.

(૧) ગરીબોનું અતિહાસ્ય કરવું;
(ર) ઘણો વૃથા પ્રલાપ કરવો;
(૩) હાસ્યસ્વભાવ રાખવો;

એ વગેરે લક્ષણવાળા પરિણામ હાસ્યકર્મના આસ્રવનું કારણ છે.

(૧) વિચિત્ર ક્રીડા કરવામાં તત્પરતા હોવી;
(ર) વ્રત-શીલમાં અરુચિપરિણામ કરવા;

એ વગેરે લક્ષણવાળા પરિણામ રતિકર્મના આસ્રવનું કારણ છે.

(૧) પરને અરતિ ઉપજાવવી;
(ર) પરની રતિનો વિનાશ કરવો;
(૩) પાપ કરવાનો સ્વભાવ હોવો;
(૪) પાપનો સંસર્ગ કરવો;