અ. ૮ સૂત્ર ૨૬ ] [ પ૧૭ ૬૮. તીર્થંકરત્વ. ભેદ વિવક્ષાએ આ ૬૮ પુણ્યપ્રકૃતિ છે અને અભેદ વિવક્ષાથી ૪ર. પુણ્યપ્રકૃતિ છે, કેમકે વર્ણાદિકના ૧૬. ભેદ, શરીરમાં અંતર્ગત પ બંધન અને પ સંઘાત એમ કુલ ર૬ પ્રકૃતિઓ ઘટાડવાથી ૪ર પ્રકૃતિ રહે છે.
ર. પૂર્વે ૧૧ મા સૂત્રમાં નામકર્મની ૪ર પ્રકૃતિ જણાવી છે તેમાં ગતિ, જાતિ, શરીરાદિના પેટાભેદો જણાવ્યા નથી; પરંતુ પુણ્યપ્રકૃતિ અને પાપપ્રકૃતિ એવા ભેદ પાડતાં તેમના પેટા ભેદ આવ્યા વગર રહેતા નથી. ।। ૨પ।।
અર્થઃ– [अतः अन्यत्] તે પુણ્યપ્રકૃતિઓથી અન્ય અર્થાત્ અસાતાવેદનીય, અશુભઆયુ, અશુભ નામ અને અશુભ ગોત્ર [पापम्] એ પાપપ્રકૃતિઓ છે.
૧. પાપપ્રકૃતિઓ નીચે પ્રમાણે છે- ૧-૪૭ ઘાતિકર્મોની સર્વ પ્રકૃતિઓ, ૪૮. નીચ ગોત્ર, ૪૯. અસાતાવેદનીય, પ૦. નરકગતિ, પ૧. નરકગત્યાનુપૂર્વી, પર. તિર્યંચગતિ, પ૩. તિર્યંચગત્યાનુપૂર્વી, પ૪-પ૭. એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય એ ચાર જાતિ, પ૯-૬૩ પાંચ સંસ્થાન, ૬૪-૬૮. પાંચ સંહનન, ૬૯-૮૮. વર્ણાદિક વીસ પ્રકાર, ૮૯. ઉપઘાત, ૯૦. અપ્રશસ્ત વિહાયોગતિ, ૯૧. સ્થાવર, ૯ર. સૂક્ષ્મ, ૯૩. અપર્યાપ્તિ, ૯૪. સાધારણ, ૯પ. અસ્થિર, ૯૬. અશુભ, ૯૭. દુર્ભગ, ૯૮. દુઃસ્વર ૯૯. અનાદેય અને ૧૦૦. અયશઃકીર્તિ. ભેદ વિવક્ષાએ આ ૧૦૦ પાપપ્રકૃતિઓ છે; અને અભેદવિવક્ષાએ ૮૪ છે, કેમ કે વર્ણાદિકના ૧૬ પેટા ભેદ ઘટાડવાથી ૮૪ રહે છે. આમાંથી પણ સમ્યક્મિથ્યાત્વપ્રકૃતિ તથા સમ્યક્ત્વમોહનીયપ્રકૃતિ એ બે પ્રકૃતિઓનો બંધ થતો નહિ હોવાથી તે બે બાદ કરતાં ભેદવિવક્ષાઓ ૯૮ અને અભેદવિવક્ષાઓ ૮ર પાપ પ્રકૃતિઓનો બંધ થાય છે; પરંતુ તે બે પ્રકૃતિઓની સત્તા તથા ઉદય હોય છે તેથી સત્તા અને ઉદય તો ભેદવિવક્ષાએ ૧૦૦ તથા અભેદવિવક્ષાએ ૮૪ પ્રકૃતિઓના થાય છે.
ર. વર્ણાદિક ચાર અથવા તો તેના ભેદ ગણવામાં આવે તો વીસ પ્રકૃતિઓ છે તેઓ પુણ્યરૂપ પણ છે અને પાપરૂપ પણ છે તેથી તે પુણ્ય અને પાપ બન્નેમાં ગણાય છે.
૩. આ સૂત્રમાં આવેલા શબ્દોના અર્થ શ્રી જૈનસિદ્ધાંતપ્રવેશિકામાંથી જોઈ લેવા. ।। ૨૬।।