પ૧૬ ] [ મોક્ષશાસ્ત્ર
(૨) ત્રિકાળવર્તી સમસ્ત ભવોમાં (-જન્મોમાં) મન-વચન-કાયાના યોગના નિમિત્તે તે કર્મો આવે છે.
(૩) તે કર્મો સૂક્ષ્મ છે- ઇન્દ્રિયગોચર નથી. (૪) આત્માના સર્વ પ્રદેશોની સાથે દૂધ-પાણીની જેમ એક ક્ષેત્રમાં તે કર્મો વ્યાપ્ત છે.
(પ) આત્માના સર્વ પ્રદેશોએ અનંતાનંત પુદ્ગલો સ્થિત થાય છે. (૬) એક આત્માના અસંખ્યપ્રદેશ છે, તે દરેક પ્રદેશે સંસારી જીવને અનંતાનંત પુદ્ગલસ્કંધો વિદ્યમાન છે.
પ્રદેશબંધનું વર્ણન અહીં પુરું થયું.।। ૨૪।।
આ રીતે ચારે પ્રકારના બંધનું વર્ણન કર્યું. હવે કર્મપ્રકૃતિઓમાંથી પુણ્યપ્રકૃતિ કેટલી છે તથા પાપપ્રકૃતિ કેટલી છે તે જણાવીને આ અધ્યાય પૂરો કરે છે.
અર્થઃ– [सत् वेध शुभायुः नाम गोत्राणि] સાતાવેદનીય, શુભ આયુ, શુભ નામ અને શુભ ગોત્ર [पुण्यम्] એ પુણ્યપ્રકૃતિઓ છે.
૧. ઘાતિકર્મોની ૪૭ પ્રકૃતિઓ છે; તે બધી પાપરૂપ છે; અઘાતિકર્મોની ૧૦૧ પ્રકૃતિઓ છે; તેમાં પુણ્ય અને પાપ બન્ને પ્રકાર છે; તેમાંથી ૬૮ પ્રકૃતિઓ પુણ્યરૂપ છે, તે નીચે પ્રમાણે-
૧. સાતાવેદનીય, ર. તિર્યંચાયુ, ૩. મનુષ્યાયુ, ૪. દેવાયુ, પ. ઉચ્ચ ગોત્ર, ૬. મનુષ્યગતિ, ૭. મનુષ્યગત્યાનુપૂર્વી, ૮. દેવગતિ, ૯. દેવગત્યાનુપૂર્વી, ૧૦. પંચેન્દ્રિય જાતિ, ૧૧-૧પ. પાંચ પ્રકારના શરીર, ૧૬-૨૦. શરીરનાં પાંચ પ્રકારના બંધન, ૨૧- ૨પ. પાંચ પ્રકારના સંઘાત, ૨૬-૨૮. ત્રણ પ્રકાર અંગોપાંગ, ૨૯-૪૮. સ્પર્શ, વર્ણાદિકની વીસ પ્રકૃતિ, ૪૯. સમચતુરસ્રસંસ્થાન, પ૦. વજ્રર્ષભનારાચસંહનન, પ૧. અગુરુલધુ, પ૨. પરઘાત, પ૩. ઉચ્છ્વાસ, પ૪. આતપ, પપ. ઉદ્યોત, પ૬. પ્રશસ્ત વિહાયોગતિ, પ૭. ત્રસ, પ૮. બાદર, પ૯. પર્યાપ્તિ, ૬૦. પ્રત્યેક શરીર, ૬૧. સ્થિર, ૬૨. શુભ, ૬૩. સુભગ, ૬૪. સુસ્વર, ૬પ. આદેય, ૬૬. યશઃકીર્તિ, ૬૭. નિર્માણ, અને