Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 550 of 655
PDF/HTML Page 605 of 710

 

અ. ૯ સૂત્ર ૯ ] [ પપ૧ યોગ્ય વખતે નિર્દોષ ભોજનનો યોગ ન બને તો આહારનો વિકલ્પ તોડીને નિર્વિકલ્પ દશામાં લીન થાય છે, ત્યારે તેમને પરિષહજય કહેવાય છે. (ર) તૃષાઃ– પિપાસા (તૃષા) ને ધૈર્યરૂપી જળથી શાંત કરવી તે તૃષાપરિષહજય છે. (૩) શીતઃ– શીત (ઠંડી) ને શાંતભાવે અર્થાત્ વીતરાગભાવે સહન કરવી તે શીત

પરિષહજય છે.
(૪) ઉષ્ણઃ– ગરમીને શાંતભાવે સહન કરવી અર્થાત્ જ્ઞાનમાં જ્ઞેયરૂપ કરવી તે
ઉષ્ણપરિષહજય છે.
(પ) દંશમશકઃ– ડાંસ, મચ્છર, કીડી, વીંછી વગેરે કરડે ત્યારે શાંતભાવ રાખવો તે
દંશમશકપરિષહજય છે.
(૬) નાગ્ન્યઃ– નગ્ન રહેવા છતાં પોતામાં કોઈ પ્રકારનો વિકાર ન થવા દેવો તે
નાગ્ન્યપરિષહજય છે. પ્રતિકૂળ પ્રસંગ આવતાં વસ્ત્રાદિ પહેરી લેવાં તે
નાગ્ન્યપરિષહ નથી પણ એ તો માર્ગથી જ ચ્યુતપણું છે, અને પરિષહ
તો માર્ગથી ચ્યુત ન થવું તે છે.
(૭) અરતિઃ– અરતિનું કારણ ઉપસ્થિત થવા છતાં પણ સંયમમાં અરતિ ન કરવી
તે અરતિપરિષહજય છે.
(૮) સ્ત્રીઃ– સ્ત્રીઓના હાવભાવ પ્રદર્શન વગેરે ચેષ્ટાને શાંતભાવે સહન કરવી
અર્થાત્ તે દેખીને મોહિત ન થવું તે સ્ત્રી પરિષહજય છે.
(૯) ચર્યાઃ– ગમન કરતાં ખેદખિન્ન ન થવું તે ચર્યાપરિષહજય છે.
(૧૦) નિષદ્યાઃ– ધ્યાનને માટે નિયમિત કાળ સુધી આસનથી ચ્યુત ન થવું તે
નિષદ્યાપરિષહજય છે.
(૧૧) શય્યાઃ– વિષમ, કઠોર, કાંકરીવાળા સ્થાનોમાં એક પડખે નિદ્રા લેવી અને
અનેક ઉપસર્ગ આવવા છતાં પણ શરીરને ચલાયમાન ન કરવું તે
શય્યાપરિષહજય છે.
(૧ર) આક્રોશઃ– દુષ્ટ જીવો દ્વારા કહેવાયેલા કઠોર શબ્દોને શાંત ભાવે સહી લેવા તે
આક્રોશ પરિષહજય છે.
(૧૩) વધઃ– તલવાર વગેરેથી શરીર પર પ્રહાર કરવાવાળા પ્રત્યે પણ ક્રોધ ન કરવો
તે વધ પરિષહજય છે.
(૧૪) યાચનાઃ– પોતાના પ્રાણોનો વિયોગ થવાનો સંભવ હોય તોપણ આહારાદિની
યાચના ન કરવી તે યાચના પરિષહજય છે.