મંગળાચરણ] [૩
ર- આ અધ્યાયમાં જીવના ભાવો, લક્ષણ અને જીવનો શરીર સાથેનો
૬-૭- આ અધ્યાયોમાં જીવના નવા વિકારીભાવો (આસ્રવો) તથા તેનું
રીતે ત્રીજા આસ્રવતત્ત્વનું વર્ણન કર્યું છે.
કર્મ કેટલો વખત જીવ સાથે રહે છે તે જણાવ્યું છે; એ રીતે ચોથા બંધતત્ત્વનું આ અધ્યાયમાં વર્ણન કર્યું છે.
છે, જીવની આ અવસ્થા થતાં તેને સાચા સુખની શરૂઆત થાય છે અને ક્રમેક્રમે શુદ્ધિ વધતાં વિકાર ટળે છે તેથી નિર્જરા એટલે કે જડ કર્મ સાથેના બંધનો અંશે અંશે અભાવ થાય છે-એ જણાવ્યું છે; એ રીતે પાંચમું અને છઠ્ઠું એટલે સંવર અને નિર્જરાતત્ત્વ નવમા અધ્યાયમાં જણાવ્યાં છે.
પવિત્રતા તે મોક્ષતત્ત્વ હોવાથી આચાર્ય ભગવાને સાતમું મોક્ષતત્ત્વ આ અધ્યાયમાં જણાવ્યું છે.
(૮) મંગલાચરણમાં ભગવાનને ‘કર્મરૂપી પર્વતોના ભેદનાર’ કહ્યા છે. કર્મ બે પ્રકારના છેઃ- ૧-ભાવકર્મ, ર-દ્રવ્યકર્મ. જીવ જ્યારે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રથી ભાવકર્મરૂપી પર્વતોને ટાળે છે ત્યારે દ્રવ્યકર્મ સ્વયં પોતાથી ટળી જાય છે નાશ પામે છે એવો જીવની શુદ્ધતાને અને કર્મના ક્ષયને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે- એમ અહીં બતાવ્યું છે. જીવ જડ કર્મનો પરમાર્થે નાશ કરી શકે છે-એમ કહેવાનો હેતુ નથી.
(૯) મંગલાચરણમાં નમસ્કાર કરતાં તીર્થંકર ભગવાન પાસે દેવાગમન, સમોસરણ, ચામર, દિવ્ય શરીરાદિ જે પુણ્યની વિભૂતિ છે તે લીધી નથી, કેમકે પુણ્ય તે ગુણ નથી.
(૧૦) મંગલાચરણમાં ગુણથી ઓળખાણ કરીને ભગવાનને નમસ્કાર કર્યા છે. એટલે કે-ભગવાન વિશ્વના અર્થાત્ બધા તત્ત્વોના જાણનાર છે, મોક્ષમાર્ગના નેતા છે અને તેમણે સર્વ વિકારનો (દોષનો) નાશ કર્યો છે-એમ ભગવાનના ગુણોનું સ્વરૂપ બતાવી ગુણોની ઓળખાણ કરીને તેમની સ્તુતિ કરી છે.