Moksha Shastra (Gujarati). Sutra: 1 (Chapter 1).

< Previous Page   Next Page >


Page 7 of 655
PDF/HTML Page 62 of 710

 

] [મોક્ષશાસ્ત્ર

મોક્ષપ્રાપ્તિનો ઉપાય
सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः।। १।।
અર્થઃ– [सम्यग्दर्शनज्ञानचारित्राणि]સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર

એ ત્રણે મળીને [मोक्षमार्गः] મોક્ષનો માર્ગ છે અર્થાત્ મોક્ષની પ્રાપ્તિનો ઉપાય છે.

–ટીકા–
(૧) સમ્યક્– આ શબ્દ પ્રશંસાવાચક છે, તે યથાર્થપણું સૂચવે છે. વિપરીત
આદિ દોષોનો અભાવ તે ‘સમ્યક્’ છે.
દર્શન–શ્રદ્ધા; ‘આમ જ છે-અન્યથા નથી’ એવો પ્રતીતિભાવ.
સમ્યગ્જ્ઞાન-સંશય, વિપર્યય અને અનધ્યવસાય રહિત પોતાના આત્માનું
તથા પરનું યથાર્થ જ્ઞાન તે સમ્યગ્જ્ઞાન.
સંશય = विरुद्धानेककोटिस्पर्शि ज्ञानं संशयः= ‘આ પ્રમાણે છે કે આ
પ્રમાણે છે’ એવું જે પરસ્પર વિરુદ્ધતાપૂર્વક બે પ્રકારરૂપ જ્ઞાન
તેને સંશય કહે છે; જેમ કે આત્મા પોતાના કાર્યને કરી શકતો
હશે કે જડના કાર્યને કરી શકતો હશે! એવું જાણવું તે સંશય છે.
વિપર્યય = विपरीतैककोटि निश्चयो विपर्ययः=વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધતાપૂર્વક
‘આમ જ છે’ એવું એકરૂપ જ્ઞાન તેનું નામ વિપર્યય છે; જેમકે
શરીરને આત્મા જાણવો તે વિપર્યય છે.
અનધ્યવસાય = किमित्यालोचनमात्रमनध्यवसायः– ‘કંઈક છે’ એવો
નિર્ધારરહિત વિચાર તેનું નામ અનધ્યવસાય છે. જેમ કે
‘હું કોઈક છું’ એમ જાણવું તે અનધ્યવસાય છે.
સમ્યક્ચારિત્ર-(અહીં ‘સમ્યક્’ પદ અજ્ઞાનપૂર્વકના આચરણની નિવૃત્તિ માટે
વાપર્યો છે.) સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક આત્મામાં સ્થિરતા તે
સમ્યક્ચારિત્ર છે.

આ ત્રણે અનુક્રમે આત્માના શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર એ ગુણોના શુદ્ધ પર્યાયો (હાલતો) છે.

મોક્ષમાર્ગઃ– આ શબ્દ એકવચનમાં છે; તે એમ સૂચવે છે કે મોક્ષના ત્રણ માર્ગ
[નોંધઃ- ‘જીવ’ અને ‘આત્મા’ એ બન્ને શબ્દો એક જ અર્થમાં વપરાય છે.]