Moksha Shastra (Gujarati). Sutra: 12-14 (Chapter 9).

< Previous Page   Next Page >


Page 561 of 655
PDF/HTML Page 616 of 710

 

પ૬૨] [ મોક્ષશાસ્ત્ર યોગ્ય છે’ એવો આઠમા સૂત્રનો ઉપદેશ વ્યર્થ જાય. દશમા તથા અગીઆરમા સૂત્રમાં ઉત્તમ ગુણસ્થાનોએ જે પરિષહ કહ્યા છે તે ઉપચારથી છે, પણ નિશ્ચયથી નથી એમ સમજવું.।। ૧૧।।

છઠ્ઠાથી નવમા ગુણસ્થાન સુધીના પરિષહો
बादरसाम्पराये सर्वे।। १२।।
અર્થઃ– [बादरसाम्पराये] બાદરસાંપરાય અર્થાત્ સ્થૂળકષાયવાળા જીવોને

[सर्वे] સર્વે પરિષહો હોય છે.

ટીકા

૧. છઠ્ઠાથી નવમા ગુણસ્થાનને બાદરસાંપરાય કહેવાય છે. આ ગુણસ્થાનોમાં પરિષહના કારણભૂત બધા કર્મોનો ઉદય છે, પણ જીવ જેટલે અંશે તેમાં જોડાતો નથી તેટલે અંશે (આઠમા સૂત્રની માફક પરિષહજય કરે છે.)

૨. સામાયિક, છેદોપસ્થાન અને પરિહારવિશુદ્ધિ, એ ત્રણ સંયમોમાંથી કોઈ એકમાં બધા પરિષહોનો સંભવ છે. ।। ૧૨।।

આ રીતે કયા ગુણસ્થાને કેટલા પરિષહજય હોય છે તેનું વર્ણન કર્યુ. હવે કયા કર્મના. ઉદયથી કયા કયા પરિષહો હોય છે તે જણાવે છે.

જ્ઞાનાવરણકર્મના ઉદયથી થતા પરિષહો
ज्ञानवरणे प्रज्ञाऽज्ञाने।। १३।।

અર્થઃ– [ज्ञानावरण] જ્ઞાનાવરણીયના ઉદયથી [प्रज्ञा अज्ञाने] પ્રજ્ઞા અને અજ્ઞાન એ બે પરિષહો હોય છે.

ટીકા

પ્રજ્ઞા આત્માનો ગુણ છે, તે પરિષહનું કારણ થાય નહિ; પણ જ્ઞાનનો ઉઘાડ હોય અને તેના મદજનિત પરિષહ હોય તો તે વખતે જ્ઞાનાવરણકર્મનો ઉદય હોય છે. જ્ઞાની જીવ જો મોહનીયકર્મના ઉદયમાં જોડાય તો તેમને અનિત્ય મદ આવી જાય છે. પણ પુરુષાર્થ પૂર્વક જ્ઞાની જીવ જેટલે અંશે તેમાં ન જોડાય તેટલે અંશે તેમને પરિષહજય છે. (જુઓ, સૂત્ર ૮.) ।। ૧૩।।

દર્શનમોહનીય તથા અંતરાયકર્મના ઉદયથી થતા પરિષહો
दर्शनमोहांतराययोरदर्शनाऽलाभौ।। १४।।