અ. ૯ સૂત્ર ૧પ-૧૬-૧૭ ] [ પ૬૩
અને [अंतराययोः अलाभौ] અંતરાયકર્મના ઉદયથી અલાભપરિષહ હોય છે.
નાગ્ન્ય, અરતિ, સ્ત્રી, [निषद्या आक्रोश याचना सत्कार–पुरस्कारः] નિષદ્યા, આક્રોશ, યાચના, અને સત્કારપુરસ્કાર એ સાત પરિષહો હોય છે.
ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ, દંશમશક, ચર્યા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ અને મળ, એ પરિષહો હોય છે.
એક જીવને એક સાથે થતા પરિષહોની સંખ્યા एकादयो भाज्या युगपदेकस्मिन्नैकोनविंशतेः।। १७।।
एकोनविंशतेः] એકથી શરૂ કરીને ઓગણીસ પરિષહો સુધી [भाज्याः] જાણવા જોઈએ.
૧. એક જીવને એક વખતે વધારેમાં વધારે ઓગણીસ પરિષહ હોઈ શકે છે, કેમકે શીત અને ઉષ્ણ એ બેમાંથી એક વખતે એક જ હોય છે અને શય્યા, ચર્યા તથા નિષદ્યા (-સૂવું, ચાલવું તથા આસનમાં રહેવું) એ ત્રણમાંથી એક કાળે એક જ હોય છે; આ રીતે એ ત્રણ પરિષહો બાદ કરવાથી બાકીના ઓગણીસ પરિષહો હોઈ શકે છે.
૨. પ્રશ્નઃ– પ્રજ્ઞા અને અજ્ઞાન એ બન્ને પણ એકી સાથે હોઈ શકે નહિ માટે એક પરિષહ વધારે બાદ કરવો જોઈએ.