Moksha Shastra (Gujarati). Sutra: 18 (Chapter 9).

< Previous Page   Next Page >


Page 564 of 655
PDF/HTML Page 619 of 710

 

અ. ૯ સૂત્ર ૧૭-૧૮ ] [ પ૬પ

ઉત્તરઃ– તે કથન વ્યવહારનય અપેક્ષાએ છે, કેમકે તે જીવનો પરવસ્તુ સાથેનો સંબંધ બતાવે છે; તે કથન નિશ્ચય અપેક્ષાએ નથી.

પ્રશ્નઃ– વ્યવહારનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન હોય તેને ‘એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે’ એ પ્રમાણે જાણવાનું મોક્ષમાર્ગ-પ્રકાશક પા. ૨પ૬ માં કહ્યું છે, તો ઉપર્યુક્ત સૂત્ર ૧૩ થી ૧૬ના કથનમાં તે કઈ રીતે લાગુ પડે છે?

ઉત્તરઃ– તે સૂત્રોમાં જીવને જે પરિષહોનું વર્ણન કર્યું છે તે વ્યવહારથી છે, તેનો ખરો અર્થ એવો છે કે-જીવ જીવમય છે, પરિષહમય નથી. જેટલે દરજ્જે જીવમાં પરિષહવેદન થાય તેટલે દરજ્જે સૂત્ર ૧૩ થી ૧૬ માં કહેલ કર્મનો ઉદય નિમિત્તરૂપ કહેવાય, પણ નિમિત્તે જીવને કાંઈ કર્યું નથી.

પ. પ્રશ્નઃ– સૂત્ર ૧૩ થી ૧૬ સુધીમાં પરિષહો સંબંધમાં જે કર્મનો ઉદય કહ્યો છે તેને અને સૂત્ર ૧૭માં પરિષહોની એકી સાથે જે સંખ્યા કહી તેને આ અધ્યાયના ૮મા સૂત્રમાં કહેલો નિર્જરાનો વ્યવહાર ક્યારે લાગુ પડે?

ઉત્તરઃ– જીવ પોતાના પુરુષાર્થ વડે જેટલે અંશે પરિષહવેદન ન કરે તેટલે અંશે તેણે પરિષહજ્ય કર્યો અને તેથી તેટલે અંશે સૂત્ર ૧૩ થી ૧૬ માં કહેલા કર્મોની નિર્જરા કરી એમ આઠમા સૂત્ર અનુસાર કહી શકાય; તેને વ્યવહારકથન કહેવામાં આવે છે કેમ કે પરવસ્તુ (-કર્મ) સાથેના સંબંધનો કેટલો અભાવ થયો, તે તેમાં બતાવવામાં આવ્યું છે.

આ રીતે પરિષહજયનો વિષય પૂરો થયો.।। ૧૭।।

બીજા સૂત્રમાં કહેલા સંવરના છ કારણોમાં પાંચ કારણોનું વર્ણન અહીં પૂરું થયું; હવે છેલ્લું કારણ ચારિત્ર છે તેનું વર્ણન કરે છે.

ચારિત્રના પાંચ પ્રકાર
सामायिकछेदोपस्थापनापरिहारविशुद्धिसूक्ष्मसांपराय–
यथाख्यातमिति चारित्रम्।। १८।।

અર્થઃ– [सामायिक छेदोपस्थापना परिहारविशुद्धि] સામાયિક છેદોપસ્થાપના, પરિહારવિશુદ્ધ, [सूक्ष्मसांपराय यथाखयातम्] સૂક્ષ્મસાંપરાય અને યથાખ્યાત [इतिचारित्रम्] -એ પાંચ ભેદો ચારિત્રના છે.