તેમાં વીતરાગ સ્વરૂપના લક્ષ વડે અંતરંગ પરિણામોની જે શુદ્ધતા થાય છે તે.
૩. આ છએ પ્રકારનાં તપ સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે. આ છએ પ્રકારમાંસમ્યગ્દ્રષ્ટિને પોતાના સ્વરૂપના લક્ષે જેટલી અંતરંગ પરિણામોની શુદ્ધતા થાય તેટલું જ તપ છે. શુભ વિકલ્પ છે તેને ઉપચારથી તપ કહેવાય છે, પણ ખરેખર તો તે રાગ છે, તપ નથી. ।। ૨૦।।
અર્થઃ– [प्राक् ध्यानात्] ધ્યાન પહેલાંના પાંચ તપના [यथाक्रमं नव चतुः
दश पंच द्विभेदा] અનુક્રમે નવ, ચાર, દસ, પાંચ અને બે ભેદો છે, અર્થાત્ સમ્યક્પ્રાયશ્ચિત્તના નવ, સમ્યક્ વિનયના ચાર, સમ્યક્ વૈયાવૃત્યના દસ, સમ્યક્ સ્વાધ્યાયના પાંચ અને સમ્યક્ વ્યુત્સર્ગના બે ભેદ છે.
નોંધઃ– આભ્યંતર તપનો છઠ્ઠો પ્રકાર ધ્યાન છે તેના ભેદોનું વર્ણન ર૮માસૂત્રમાં આવશે. ।। ૨૧।।