અ. ૯ સૂત્ર ૨૨] [ પ૭પ
[विवेक व्युत्सर्ग तपः] વિવેક વ્યુત્સર્ગ, તપ, [छेदपरिहार उपस्थापनाः] છેદ, પરિહાર અને ઉપસ્થાપન- આ નવ ભેદો પ્રાયશ્ચિત્તતપના છે.
(૧) આલોચના–પ્રમાદથી થયેલા દોષોને ગુરુ પાસે જઈને નિષ્કપટ રીતે
કહેવા તે.
(૩) તદુભય–તે બન્ને અર્થાત્ આલોચના અને પ્રતિક્રમણ બન્ને કરવાં તે.
(૪) વિવેક– આહાર-પાણીનો નિયમિત સમય સુધી ત્યાગ કરવો તે.
(પ) વ્યુત્સર્ગ–કાયોત્સર્ગ કરવો.
(૬) તપ–ઉપવાસાદિ કરવા તે.
(૭) છેદ– એક દિવસ, પખવાડિયું, મહિનો વગેરે વખત સુધી દીક્ષાનો છેદ કરવો તે.
(૮) પરિહાર– એક દિવસ, પખવાડિયું, મહિનો વગેરે નિયમિત સમય સુધી
(૯) ઉપસ્થાપન– દીક્ષાનો સંપૂર્ણ છેદ કરીને ફરીથી નવી દીક્ષા દેવી તે. ૨. આ બધા ભેદો વ્યવહારપ્રાયશ્ચિત્તના છે. જે જીવને નિશ્ચયપ્રાયશ્ચિત્ત પ્રગટયું હોય તે જીવના આ નવ પ્રકારના પ્રાયશ્ચિત્તને વ્યવહારપ્રાયશ્ચિત્ત કહેવાય; પણ જો નિશ્ચયપ્રાયશ્ચિત્ત ન પ્રગટયું હોય તો તે વ્યવહારાભાસ છે.
પોતાના જ આત્માના જે ઉત્કૃષ્ટ બોધ, જ્ઞાન તથા ચિત્ત છે તેને જે જીવ નિત્ય ધારણ કરે છે તેને જ પ્રાયશ્ચિત્ત હોય છે. (બોધ, જ્ઞાન ને ચિત્તનો અર્થ એક જ છે.)