અ. ૧૦. સૂ. ૨ ] [ ૬૦૯ જ નહિ. કેમકે એવો નિયમ છે કે જે સમયે જે જીવ પોતાના ઉપાદાનની જાગૃતિથી ધર્મ પામવાની યોગ્યતા મેળવે તે સમયે તે જીવને એટલા પુણ્યનો તો સંયોગ હોય જ કે જેથી તેને ઉપદેશાદિક યોગ્ય નિમિત્તો (-સામગ્રી) સ્વયં આવી મળે જ. ઉપાદાનની પર્યાયનો અને નિમિત્તની પર્યાયનો એવો જ સહજ સ્વાભાવિક નિમિત્તનૈમિત્તિકસંબંધ છે. જો આમ ન થતું હોય તો જગતમાં કોઈ જીવ ધર્મ પામી શકે જ નહિ. અર્થાત્ બધા જીવો દ્રવ્યદ્રષ્ટિએ પૂર્ણ હોવા છતાં પોતાનો શુદ્ધપર્યાય પ્રગટ કરી શકે જ નહિ, તેમ થતાં જીવોનું દુઃખ કદી ટળે નહિ અને સુખસ્વરૂપે તેઓ કદી થઈ શકે નહિ.
૩. જગતમાં જો કોઈ જીવ ધર્મ ન પામી શકે તો તીર્થંકર, સિદ્ધ, અરહિંત, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, શ્રાવક, સમ્યગ્દ્રષ્ટિ અને સમ્યગ્દ્રષ્ટિની ભૂમિકામાં રહેતા ઉપદેશક એ વગેરે પદો પણ જગતમાં રહે નહિ; જીવની સાધક અને સિદ્ધ દશા પણ રહે નહિ, સમ્યગ્દ્રષ્ટિની ભૂમિકા જ પ્રગટ થાય નહિ, તેમ જ તે ભૂમિકામાં થતો ધર્મ પ્રભાવનાદિનો રાગ-પુણ્યાનુબંધી પુણ્ય, સમ્યગ્દ્રષ્ટિને લાયક દેવગતિ-દેવક્ષેત્રો એ વગેરે વ્યવસ્થાનો પણ નાશ થાય.
(૩) આ ઉપરથી એમ સમજવું કે જીવના ઉપાદાનના દરેક સમયના પર્યાયની જે પ્રકારની યોગ્યતા હોય તે મુજબ તે જીવને તે સમયે યોગ્ય નિમિત્તનો સંયોગ સ્વયં મળે છે- એવા નિમિત્તનૈમિત્તિકસંબંધ તેરમા ગુણસ્થાનની હૈયાતિ સિદ્ધ કરે છે; એક બીજાનાં કર્તારૂપે કોઈ છે જ નહિ, તેમ જ ઉપાદાનની પર્યાયમાં જે સમયે લાયકાત હોય તે સમયે તેને નિમિત્તની રાહ જોવી પડે એમ પણ નથી; બન્નેનો સહજપણે એવો જ મેળ હોય જ છે. તે જ નિમિત્તનૈમિત્તિકભાવ છે, છતાં બન્ને દ્રવ્યો સ્વતંત્ર છે. નિમિત્ત પરદ્રવ્ય છે તેને જીવ મેળવી શકે નહિ, તેમ જ તે નિમિત્ત જીવમાં કાંઈ કરી શકે નહિ, કેમ કે કોઈ દ્રવ્ય પરદ્રવ્યની પર્યાયનું કર્તાહર્તા નથી. ।। ૧।।
અર્થઃ– [बंधहेतु अभाव] બંધનાં કારણો (-મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ) નો અભાવ તથા [निर्जराभ्यां कृत्स्नकर्मविप्रमोक्षो] નિર્જરા વડે સમસ્ત કર્મોનો અત્યંત નાશ [मोक्षः] તે મોક્ષ છે.
૧. કર્મ ત્રણ પ્રકારનાં છે. - (૧) ભાવકર્મ (ર) દ્રવ્યકર્મ અને (૩) નોકર્મ.