Moksha Shastra (Gujarati). Sutra: 3-5 (Chapter 10).

< Previous Page   Next Page >


Page 611 of 655
PDF/HTML Page 666 of 710

 

૬૧૨ ] [ મોક્ષશાસ્ત્ર

औपशमिकादि भव्यत्वानां च।। ३।।
અર્થઃ– [च] વળી [औपशमिकादि भव्यत्वानां] ઔપશમિકાદિ ભાવોનો તથા

પારિણામિક ભાવોમાંથી ભવ્યત્વભાવનો મુક્ત જીવને અભાવ થાય છે.

ટીકા

‘ઔપશમિકાદિ’ કહેતાં ઔપશમિક, ઔદયિક અને ક્ષાયોપશમિક એ ત્રણ ભાવો સમજવા, ક્ષાયિકભાવ તેમાં ગણવો નહિ.

જે જીવોને સમ્યગ્દર્શનાદિ પ્રાપ્ત કરવાની યોગ્યતા હોય તે ભવ્યજીવ કહેવાય છે. જ્યારે જીવને સમ્યગ્દર્શનાદિ ગુણો પૂર્ણરૂપે પ્રગટ થઈ જાય છે ત્યારે તે આત્મામાં ‘ભવ્યત્વ’ નો વ્યવહાર મટી જાય છે. આ સંબંધમાં વિશેષ એ લક્ષ માં રાખવા યોગ્ય છે કે ‘ભવ્યત્વ’ જો કે પારિણામિકભાવ છે તોપણ, જેમ પર્યાયાર્થિકનયે જીવના સમ્યગ્દર્શનાદિ ગુણોને નિમિત્તપણે ઘાતક દેશઘાતિ તથા સર્વઘાતિ નામના મોહાદિક કર્મસામાન્ય છે તેમ, જીવના ભવ્યત્વગુણને પણ કર્મસામાન્ય નિમિત્તપણે પ્રચ્છાદક કહી શકાય છે. (જુઓ, હિંદી સમયસાર, શ્રી જયસેનાચાર્યની સંસ્કૃત ટીકા પા.-૪૨૩) સિદ્ધપણું પ્રગટ થતાં ભવ્યત્વગુણની વિકારી પર્યાયનો નાશ થાય છે એ અપેક્ષા લક્ષમાં રાખીને ભવ્યત્વ ભાવનો નાશ થાય છે-એમ અહીં કહ્યું છે. અધ્યાય ર, સૂત્ર-૭, પાનું-૨૨૪ માં ભવ્યત્વભાવની પર્યાયની અશુદ્ધતાનો નાશ થાય છે એમ કહ્યું છે-માટે તે ટીકા પણ અહીં વાંચવી. ।। ।।

अन्यत्र केवलसम्यक्त्वज्ञानदर्शनसिद्धत्वेभ्यः।। ४।।

અર્થઃ– [केवलसम्यक्त्व ज्ञान दर्शन] કેવળસમ્યક્ત્વ, કેવળજ્ઞાન, કેવળદર્શન

અને [सिद्धत्वेभ्यः अन्यत्र] સિદ્ધત્વ-એ ભાવો સિવાયના બીજા ભાવોના અભાવથી મોક્ષ થાય છે.

ટીકા

મુક્ત અવસ્થામાં કેવળજ્ઞાનાદિ ગુણો સાથે જે ગુણોનો સહભાવીસંબંધ છે એવાં અનંત વીર્ય, અનંત સુખ, અનંત દાન, અનંતલાભ, અનંતભોગ, અનંતઉપભોગ વગેરે ગુણો પણ હોય છે. ।। ।।

મુક્ત જીવોનું સ્થાન
तदनंतरमूर्ध्वं गच्छत्यालोकांतात्।। ५।।

અર્થઃ– [तदनंतरम्] તુરત જ [ऊर्ध्व गच्छति आलोक अंतात्] ઊર્ધ્વગમન કરીને આ લોકના છેડા સુધી જાય છે.