અ. ૧ સૂત્ર ૨] [૯
અર્થઃ– પ્રથમ તો શ્રાવકે સુનિર્મળ એટલે કે સારી રીતે નિર્મળ અને મેરુવત્ નિષ્કંપ, અચળ અને ચળ, મલિન તથા અગાઢ દૂષણ રહિત અત્યંત નિશ્ચળ એવા સમ્યક્ત્વને ગ્રહણ કરીને તેને (સમ્યક્ત્વના વિષયભૂત એકરૂપ આત્માને) ધ્યાનમાં ધ્યાવવું; શા માટે ધ્યાવવું? દુઃખના ક્ષય અર્થે ધ્યાવવું.
ભાવાર્થઃ– શ્રાવકે પહેલાં તો નિરતિચાર નિશ્ચળ સમ્યક્ત્વને ગ્રહણ કરી તેનું ધ્યાન કરવું કે જે સમ્યક્ત્વની ભાવનાથી ગૃહસ્થને ગૃહકાર્ય સંબંધી આકુળતા, ક્ષોભ, દુઃખ હોય તે મટી જાય, કાર્યના બગડવા-સુધરવામાં વસ્તુના સ્વરૂપનો વિચાર આવે ત્યારે દુઃખ મટી જાય, સમ્યગ્દ્રષ્ટિને એવો વિચાર હોય છે કે સર્વજ્ઞે જેવું વસ્તુનું સ્વરૂપ જાણ્યું છે તેમ નિરંતર પરિણમે છે, અને તેમ થાય છે તેમાં ઇષ્ટ-અનિષ્ટ માની સુખી-દુઃખી થવું તે નિષ્ફળ છે. આવા વિચારથી દુઃખ મટે, તે પ્રત્યક્ષ અનુભવગોચર છે, તેથી સમ્યકત્વનું ધ્યાન કરવાનું કહ્યું છે.
सम्मत्तपरिणदो उण खवेइ दुट्ठट्ठकम्माणि।।
અર્થઃ– જે જીવ સમ્યકત્વને ધ્યાવે છે તે જીવ સમ્યગ્દ્રષ્ટિ છે; વળી તે સમ્યક્ત્વરૂપ પરિણમતાં દુષ્ટ જે આઠ કર્મો તેનો ક્ષય થાય છે.
ભાવાર્થઃ– સમ્યક્ત્વનું ધ્યાન એવું છે કે, જો પહેલાં સમ્યક્ત્વ ન થયું હોય તો પણ, તેના સ્વરૂપને જાણી તેને ધ્યાવે તો તે સમ્યગ્દ્રષ્ટિ થઈ જાય છે. વળી સમ્યક્ત્વ પ્રાપ્ત થયે જીવનાં પરિણામ એવાં હોય છે કે સંસારના કારણરૂપ જે દુષ્ટ આઠ કર્મો તેનો ક્ષય થાય છે; સમ્યક્ત્વ થતાં જ કર્મની ગુણશ્રેણી નિર્જરા થતી જાય છે. અનુક્રમે મુનિ થાય ત્યારે, ચારિત્ર અને શુક્લધ્યાન તેના સહકારી હોય ત્યારે સર્વ કર્મોનો નાશ થાય છે.
सिज्झिहहि जे वि भविया तं जाणइ सम्ममाहप्पं।।
અર્થઃ– શ્રી કુંદકુંદાચાર્યદેવ કહે છે કે- “ ઘણું કહેવાથી શું સાધ્ય છે? જે નરપ્રધાન ભૂતકાળમાં સિદ્ધ થયા તથા ભવિષ્યમાં સિદ્ધ થશે તે સમ્યક્ત્વનું જ માહાત્મ્ય જાણો!”