Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 627 of 655
PDF/HTML Page 682 of 710

 

૬૨૮ ] [ મોક્ષશાસ્ત્ર

અર્થઃ– નિજ શુદ્ધાત્માની અભેદરૂપથી શ્રદ્ધા કરવી, અભેદરૂપથી જ જ્ઞાન કરવું તથા અભેદરૂપથી જ તેમાં લીન થવું-એ પ્રકારે જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વરૂપ આત્મા તે નિશ્ચયમોક્ષમાર્ગ છે.

વ્યવહારમોક્ષમાર્ગનું સ્વરૂપ
श्रद्धानाधिगमोपेक्षा याः पुनः स्युः परात्माना।
सम्यकत्वज्ञानवृत्तात्मा
स मार्गो व्यवहारतः।। ४।।

અર્થઃ– આત્મામાં જે સમ્યગ્દર્શન-સમ્યગ્જ્ઞાન તથા સમ્યક્ચારિત્ર ભેદની મુખ્યતાથી પ્રગટ થઈ રહ્યાં છે તે સમ્યગ્દર્શન-સમ્યગ્જ્ઞાન-સમ્યક્ચારિત્રરૂપ રત્નત્રયને વ્યવહારમાર્ગ સમજવો જોઈએ.

વ્યવહારી મુનિનું સ્વરૂપ
श्रद्धानः परद्रव्यं बुध्यमानस्तदेव
हि।
तदेवोपेक्षमाणश्च व्यवहारी स्मृतो मुनिः।। ५।।

અર્થઃ– જે પરદ્રવ્યની (-સાતે તત્ત્વોની, ભેદરૂપે) શ્રદ્ધા કરે છે, તેવી જ રીતે ભેદરૂપ જાણે છે અને તેવી જ રીતે ભેદરૂપે ઉપેક્ષા કરે છે તે મુનિને વ્યવહારી કહેવાય છે.

નિશ્ચયી મુનિનું સ્વરૂપ
स्वद्रव्यं श्रद्धानस्तु बुध्यमानस्तदेव हि।
तदेवोपेक्षमाणश्च निश्चयान्मुनिसत्तमः।। ६।।

અર્થઃ– જે સ્વદ્રવ્યને જ શ્રદ્ધામય તથા જ્ઞાનમય બનાવી લે છે અને જેને આત્માની પ્રવૃત્તિ ઉપેક્ષારૂપ જ થઈ જાય છે એવા શ્રેષ્ઠ મુનિ નિશ્ચયરત્નત્રયયુક્ત છે.

નિશ્ચયીનું અભેદસમર્થન
आत्मा ज्ञातृतया ज्ञानं सम्यक्वं चरितं हि सः।
स्वस्थो
दर्शनचारिक्रमोहाभ्यामनुपप्लुतः।। ७।।

અર્થઃ– જે જાણે છે તે આત્મા છે, જ્ઞાન જાણે છે તેથી જ્ઞાન જ આત્મા છે; એવી જ રીતે જ સમ્યક્શ્રદ્ધા કરે છે તે આત્મા છે. શ્રદ્ધા કરનાર સમ્યગ્દર્શન છે તેથી તે જ આત્મા છે. જે ઉપેક્ષિત થાય છે તે આત્મા છે. ઉપેક્ષા ગુણ ઉપેક્ષિત થાય છે તેથી તે જ આત્મા છે અથવા આત્મા જ તે છે. આ અભેદરત્નત્રયસ્વરૂપ છે. આવી