Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 629 of 655
PDF/HTML Page 684 of 710

 

૬૩૦] [ મોક્ષશાસ્ત્ર અવલંબન પ્રગટયું નથી અને વ્યવહારને તો હેય માનીને અશુભમાં રહ્યા કરે છે તેઓ નિશ્ચયને લક્ષે શુભમાં પણ જતા નથી તો પછી તેઓ નિશ્ચય સુધી પહોંચી શકે નહીં-એ નિર્વિવાદ છે.

આ શ્લોકમાં અભેદ રત્નત્રયનું સ્વરૂપ કૃદંત શબ્દો દ્વારા કર્તૃભાવ-સાધન શબ્દોનું અભેદપણું બતાવીને સિદ્ધ કર્યું. હવે આગળના શ્લોકોમાં ક્રિયાપદોદ્વારા કર્તાકર્મભાવ વગેરેમાં વિભક્તિનું રૂપ દેખાડીને અભેદ સિદ્ધ કરે છે.

નિશ્ચયરત્નત્રયનું કર્તા સાથે અભેદપણું
पश्यति स्वस्वरूपं यो जानाति च चरत्यपि।
दर्शनज्ञानचारिक्रक्रयमात्मैव स
स्मृतः।। ८।।

અર્થઃ– જે નિજસ્વરૂપને દેખે છે, નિજસ્વરૂપને જાણે છે અને નિજસ્વરૂપ અનુસાર પ્રવૃત્તિ કરે છે તે આત્મા જ છે, તેથી દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણેરૂપ આત્મા જ છે.

કર્મરૂપ સાથે અભેદપણું
पश्यति स्वस्वरुपं यं जनाति च चरत्यपि।
दर्शनज्ञानचारिक्रक्रयमात्मैव तन्मयः।। ९।।

અર્થઃ– જે પોતાના સ્વરૂપને દેખવામાં આવે છે, પોતાના સ્વરૂપને જાણવામાં આવે છે અને પોતાના સ્વરૂપને ધારણ કરવામાં આવે છે તે દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રય છે, પરંતુ તન્મય આત્મા જ છે તેથી આત્મા જ અભેદરૂપથી રત્નત્રયરૂપ છે.

કરણરૂપની સાથે અભેદપણું
द्रश्यते येन रुपेण ज्ञायते चर्यतेपि च।
दर्शनज्ञानचारिक्रक्रयमात्मैव तन्मयः।। १०।।

અર્થઃ– જે નિજસ્વરૂપ દ્વારા દેખવામાં આવે છે. નિજસ્વરૂપ દ્વારા જાણવામાં આવે છે અને નિજસ્વરૂપ દ્વારા સ્થિરતા થાય છે તે દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રય છે. તે કોઈ જુદી ચીજ નથી, પણ તન્મય આત્મા જ અભેદરૂપથી રત્નત્રયરૂપ છે.

સંપ્રદાનરૂપની સાથે એભદપણું
यस्मै पश्यति जानाति स्वरूपाय चरत्यपि।
दर्शनज्ञानचारिक्रक्रयमात्मैव तन्मयः।। ११।।

અર્થઃ– જે સ્વરૂપની પ્રાપ્તિને માટે દેખે છે. જે સ્વરૂપની પ્રાપ્તિને માટે જાણે છે