Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 630 of 655
PDF/HTML Page 685 of 710

 

ગુજરાતી ટીકા પરિશિષ્ટ-૧ ] [ ૬૩૧ તથા જે સ્વરૂપની પ્રાપ્તિને માટે પ્રવૃત્તિ કરે છે તે દર્શન-જ્ઞાન-ચારિત્ર નામવાળાં રત્નત્રય છે; તે કોઈ જુદી ચીજ નથી પરંતુ તે-મય આત્મા જ છે અર્થાત્ આત્મા તે રત્નત્રયથી જુદો નથી પણ તન્મય જ છે.

અપાદાનસ્વરૂપની સાથે અભેદપણું
यस्मात्पश्यति जानाति स्वस्वरुपाच्चरत्यपि।
दर्शनज्ञानचारिक्रक्रयमात्मैव तन्मयः।। १२।।

અર્થઃ– જે નિજસ્વરૂપથી દેખે છે, નિજસ્વરૂપથી જાણે છે તથા નિજસ્વરૂપથી વર્તે છે તે દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વરૂપ રત્નત્રય છે; તે બીજું કોઈ નથી પણ તન્મય થયેલો આત્મા જ છે.

સંબંધી સ્વરૂપ સાથે અભેદપણું
यस्य पश्यति जानाति स्वस्वरुपस्य चरत्यपि।
दर्शनज्ञानचारिक्रक्रयमात्मैव तन्मयः।। १३।।

અર્થઃ– જે નિજસ્વરૂપના સંબંધને દેખે છે, નિજસ્વરૂપના સંબંધને જાણે છે તથા નિજસ્વરૂપના સંબંધની પ્રવૃત્તિ કરે છે તે દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રય છે. તે આત્માથી જુદી બીજી કોઈ ચીજ નથી પણ આત્મા જ તન્મય છે.

આધારસ્વરૂપ સાથે અભેદપણું
यस्मिन् पश्यति जानाति स्वस्वरुपे चरत्यपि।
दर्शनज्ञानचारिक्रक्रयमात्मैव तन्मयः।। १४।।

અર્થઃ– જે નિજસ્વરૂપમાં દેખે છે, જે નિજસ્વરૂપમાં જાણે છે તથા જે નિજસ્વરૂપમાં સ્થિર થાય છે તે દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રય છે. તે આત્માથી કોઈ ભિન્ન વસ્તુ નથી પણ આત્મા જ તન્મય છે.

ક્રિયાસ્વરૂપનું અભેદપણું
ये स्वभावाद् द्रशिज्ञप्तिचर्यारुपक्रियात्मकाः।
दर्शनज्ञानचारिक्रक्रयमात्मैव तन्मयः।। १५।।

અર્થઃ– જે દેખવારૂપ, જાણવારૂપ તથા ચારિત્રરૂપ ક્રિયાઓ છે તે દર્શન-જ્ઞાન-