૬૩૨ ] [ મોક્ષશાસ્ત્ર ચારિત્રરૂપ રત્નત્રય છે; પરંતુ એ ક્રિયાઓ આત્માથી કોઈ જુદી ચીજ નથી. તન્મય આત્મા જ છે.
दर्शनज्ञानचारिक्रक्रयमात्मैव तन्मयः।। १६।।
અર્થઃ– જે દર્શન, જ્ઞાન, ચારિત્ર ગુણોનો આશ્રય છે તે દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રય છે. દર્શનાદિ ગુણો આત્માથી જુદી કોઈ ચીજ નથી પરંતુ આત્મા જ તન્મય થયો માનવો જોઈએ અથવા આત્મા તન્મય જ છે.
दर्शनज्ञानचारिक्रक्रयमात्मैव स स्मृतः।। १७।।
અર્થઃ– સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમય પર્યાયોનો જે આશ્રય છે તે દર્શન-જ્ઞાન- ચારિત્રરૂપ રત્નત્રય છે. રત્નત્રય આત્માથી કોઈ જુદી ચીજ નથી, આતમા જ તન્મય થઈને રહે છે અથવા તન્મય જ આત્મા છે. આત્મા તેનાથી કોઈ જુદી ચીજ નથી.
दर्शनज्ञानचारिक्रमयस्यात्मन एव ते।। १८।।
અર્થઃ– દર્શન-જ્ઞાન-ચારિત્રના જે પ્રદેશો બતાવવામાં આવ્યા છે તે આત્માના પ્રદેશોથી કાંઈ ભિન્ન નથી. દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આત્માના જ તે પ્રદેશો છે. અથવા દર્શન-જ્ઞાન-ચારિત્રના પ્રદેશરૂપ જ આત્મા છે અને તે જ રત્નત્રય છે. જેમ આત્માના પ્રદેશો અને રત્નત્રયના પ્રદેશો ભિન્ન ભિન્ન નથી તેમ પરસ્પર દર્શનાદિ ત્રણેના પ્રદેશો પણ ભિન્ન નથી, તેથી આત્મા અને રત્નત્રય ભિન્ન નથી પણ આત્મા તન્મય જ છે.
અર્થઃ– અગુરુલઘુ નામનો ગુણ હોવાથી વસ્તુમાં જેટલા ગુણો છે તે એ સીમાથી અધિક પોતાની હાનિ-વૃદ્ધિ કરતા નથી; એ જ બધા દ્રવ્યોમાં અગુરુલઘુગુણનું પ્રયોજન