Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 633 of 655
PDF/HTML Page 688 of 710

 

૬૩૪ ] [ મોક્ષશાસ્ત્ર

અર્થાત્ રત્નત્રયથી જીવ અભિન્ન છે અથવા ભિન્ન છે એમ જાણવું તે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનયનું સ્વરૂપ છે; પરંતુ રત્નત્રયમાં ભેદપૂર્વક પ્રવૃત્તિ હોવી તે વ્યવહારમોક્ષમાર્ગ છે અને અભેદપૂર્વક પ્રવૃત્તિ હોવી તે નિશ્ચયમોક્ષમાર્ગ છે. તેથી ઉપરના શ્લોકોનું તાત્પર્ય એ છે કેઃ-

આત્માને પ્રથમ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનય દ્વારા જાણીને પર્યાય ઉપરથી લક્ષ ઉઠાવી પોતાનો ત્રિકાળી સામાન્ય ચૈતન્યસ્વભાવ-જે દ્રવ્યાર્થિકનયનો વિષય છે તે તરફ વળતાં શુદ્ધતા અને નિશ્ચયરત્નત્રય પ્રગટે છે.

તત્ત્વાર્થસાર ગ્રંથનું પ્રયોજન
(વસંતતિલકા)
तत्त्वार्थसारमिति यः समिधिर्विदित्वा,
निर्वाणमार्गमधितिष्ठति निष्प्रकम्पः।
संसारबन्धमवधूय स धूतमोह–
श्चेतन्यरुपमचलं शिवतत्त्वमेति।। २२।।

અર્થઃ– બુદ્ધિમાન અને સંસારથી ઉપેક્ષિત થયેલ જે જીવ આ ગ્રંથને અથવા તત્ત્વાર્થના સારને આ ઉપર કહેલા પ્રકારે સમજીને નિશ્ચલતાપૂર્વક મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થશે તે જીવ મોહનો નાશ કરી સંસારબંધને દૂર કરી, નિશ્ચળ ચૈતન્યસ્વરૂપી મોક્ષતત્ત્વને (-શીવતત્ત્વને) પ્રાપ્ત કરી શકે છે.

આ ગ્રંથના કર્તા પુદ્ગલો છે, આચાર્ય નથી
वर्णाः पदानां कर्तारो वाक्यानां तु पदावलिः।
वाक्यानि चास्य शास्क्रस्य
कर्तृणि न पुनर्वयम्।। २३।।

અર્થઃ– વર્ણો (અર્થાત્ અનાદિસિદ્ધ અક્ષરોનો સમૂહ) આ પદોના કર્તા છે, પદાવલિ વાક્યોના કર્તા છે અને વાક્યોએ આ શાસ્ત્ર કર્યું છે. આ શાસ્ત્ર મેં (- આચાર્યે) બનાવ્યું છે-એમ કોઈ એ ન સમજવું.

(જુઓ, તત્ત્વાર્થસાર પા. ૪૨૧ થી ૪૨૮).

નોંધઃ- (૧) એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કર્તા થઈ શક્તું નથી-એ સિદ્ધાંત પ્રતિપાદન કરીને અહીં આચાર્યભગવાને સ્પષ્ટપણે જણાવ્યું છે કે જીવ જડશાસ્ત્રને બનાવી શકે નહીં.

(૨) શ્રી સમયસારની ટીકા, શ્રી પ્રવચનસારની ટીકા, શ્રી પંચાસ્તિકાયની ટીકા