૬૩૪ ] [ મોક્ષશાસ્ત્ર
અર્થાત્ રત્નત્રયથી જીવ અભિન્ન છે અથવા ભિન્ન છે એમ જાણવું તે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનયનું સ્વરૂપ છે; પરંતુ રત્નત્રયમાં ભેદપૂર્વક પ્રવૃત્તિ હોવી તે વ્યવહારમોક્ષમાર્ગ છે અને અભેદપૂર્વક પ્રવૃત્તિ હોવી તે નિશ્ચયમોક્ષમાર્ગ છે. તેથી ઉપરના શ્લોકોનું તાત્પર્ય એ છે કેઃ-
આત્માને પ્રથમ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનય દ્વારા જાણીને પર્યાય ઉપરથી લક્ષ ઉઠાવી પોતાનો ત્રિકાળી સામાન્ય ચૈતન્યસ્વભાવ-જે દ્રવ્યાર્થિકનયનો વિષય છે તે તરફ વળતાં શુદ્ધતા અને નિશ્ચયરત્નત્રય પ્રગટે છે.
निर्वाणमार्गमधितिष्ठति निष्प्रकम्पः।
संसारबन्धमवधूय स धूतमोह–
श्चेतन्यरुपमचलं शिवतत्त्वमेति।। २२।।
અર્થઃ– બુદ્ધિમાન અને સંસારથી ઉપેક્ષિત થયેલ જે જીવ આ ગ્રંથને અથવા તત્ત્વાર્થના સારને આ ઉપર કહેલા પ્રકારે સમજીને નિશ્ચલતાપૂર્વક મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થશે તે જીવ મોહનો નાશ કરી સંસારબંધને દૂર કરી, નિશ્ચળ ચૈતન્યસ્વરૂપી મોક્ષતત્ત્વને (-શીવતત્ત્વને) પ્રાપ્ત કરી શકે છે.
वाक्यानि चास्य शास्क्रस्य
અર્થઃ– વર્ણો (અર્થાત્ અનાદિસિદ્ધ અક્ષરોનો સમૂહ) આ પદોના કર્તા છે, પદાવલિ વાક્યોના કર્તા છે અને વાક્યોએ આ શાસ્ત્ર કર્યું છે. આ શાસ્ત્ર મેં (- આચાર્યે) બનાવ્યું છે-એમ કોઈ એ ન સમજવું.
નોંધઃ- (૧) એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કર્તા થઈ શક્તું નથી-એ સિદ્ધાંત પ્રતિપાદન કરીને અહીં આચાર્યભગવાને સ્પષ્ટપણે જણાવ્યું છે કે જીવ જડશાસ્ત્રને બનાવી શકે નહીં.
(૨) શ્રી સમયસારની ટીકા, શ્રી પ્રવચનસારની ટીકા, શ્રી પંચાસ્તિકાયની ટીકા