षण्णां द्रव्याणां प्रदेशलक्षणसंभवप्रकारकथनमिदम् । ષટ્દ્રવ્યરૂપી રત્નોની માળા ભવ્યોના કંઠના આભરણને અર્થે બહાર કાઢી છે. ૫૧.
અન્વયાર્થઃ[मूर्तस्य] મૂર્ત દ્રવ્યને [संख्यातासंख्यातानंतप्रदेशाः] સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશો [भवन्ति] હોય છે; [धर्माधर्मयोः] ધર્મ, અધર્મ [पुनः जीवस्य] તેમ જ જીવને [खलु] ખરેખર [असंख्यातप्रदेशाः] અસંખ્યાત પ્રદેશો છે.
[लोकाकाशे] લોકાકાશને વિષે [तद्वत्] ધર્મ, અધર્મ તેમ જ જીવની માફક (અસંખ્યાત પ્રદેશો) છે; [इतरस्य] બાકીનું જે અલોકાકાશ તેને [अनंताः देशाः] અનંત પ્રદેશો [भवन्ति] છે. [कालस्य] કાળને [कायत्वं न] કાયપણું નથી, [यस्मात्] કારણ કે [एकप्रदेशः] તે એકપ્રદેશી [भवेत्] છે.
ટીકાઃઆમાં છ દ્રવ્યોના પ્રદેશનું લક્ષણ અને તેના સંભવનો પ્રકાર કહેલ છે. (અર્થાત્ આ ગાથામાં પ્રદેશનું લક્ષણ તેમ જ છ દ્રવ્યોને કેટલા કેટલા પ્રદેશ હોય છે તે કહ્યું છે).