Niyamsar (Gujarati). Shlok: 61 Gatha: 43.

< Previous Page   Next Page >


Page 88 of 380
PDF/HTML Page 117 of 409

 

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(स्रग्धरा)
इत्थं बुद्ध्वोपदेशं जननमृतिहरं यं जरानाशहेतुं
भक्ति प्रह्वामरेन्द्रप्रकटमुकुटसद्रत्नमालार्चितांघ्रेः
वीरात्तीर्थाधिनाथाद्दुरितमलकुलध्वांतविध्वंसदक्षं
एते संतो भवाब्धेरपरतटममी यांति सच्छीलपोताः
।।६१।।
णिद्दंडो णिद्दंद्दो णिम्ममो णिक्कलो णिरालंबो
णीरागो णिद्दोसो णिम्मूढो णिब्भयो अप्पा ।।४३।।
निर्दण्डः निर्द्वन्द्वः निर्ममः निःकलः निरालंबः
नीरागः निर्दोषः निर्मूढः निर्भयः आत्मा ।।४३।।

इह हि शुद्धात्मनः समस्तविभावाभावत्वमुक्त म्

[શ્લોકાર્થઃ] ભક્તિથી નમેલા દેવેંદ્રો મુગટની સુંદર રત્નમાળા વડે જેમનાં ચરણોને પ્રગટ રીતે પૂજે છે એવા મહાવીર તીર્થાધિનાથ દ્વારા આ સંતો જન્મ-જરા- મૃત્યુનો નાશક અને દુષ્ટ મળસમૂહરૂપી અંધકારનો ધ્વંસ કરવામાં ચતુર એવો આ પ્રકારનો (પૂર્વોક્ત) ઉપદેશ સમજીને, સત્શીલરૂપી નૌકા વડે ભવાબ્ધિના સામા કિનારે પહોંચી જાય છે. ૬૧.

નિર્દંડ ને નિર્દ્વંદ્વ, નિર્મમ, નિઃશરીર, નીરાગ છે,
નિર્દોષ, નિર્ભય, નિરવલંબન, આતમા નિર્મૂઢ છે. ૪૩.

અન્વયાર્થઃ[आत्मा] આત્મા [निर्दण्डः] નિર્દંડ, [निर्द्वन्द्वः] નિર્દ્વંદ્વ, [निर्ममः] નિર્મમ, [निःकलः] નિઃશરીર, [निरालंबः] નિરાલંબ, [नीरागः] નીરાગ, [निर्दोषः] નિર્દોષ, [निर्मूढः] નિર્મૂઢ અને [निर्भयः] નિર્ભય છે.

ટીકાઃઅહીં (આ ગાથામાં) ખરેખર શુદ્ધ આત્માને સમસ્ત વિભાવનો અભાવ છે એમ કહ્યું છે.

૮૮ ]

૧. નિર્દંડ = દંડ રહિત. (જે મનવચનકાયાશ્રિત પ્રવર્તનથી આત્મા દંડાય છે તે પ્રવર્તનને દંડ કહેવામાં આવે છે.)