Niyamsar (Gujarati). Shlok: 66-68.

< Previous Page   Next Page >


Page 92 of 380
PDF/HTML Page 121 of 409

 

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(द्रुतविलंबित)
समयसारमनाकुलमच्युतं
जननमृत्युरुजादिविवर्जितम्
सहजनिर्मलशर्मसुधामयं
समरसेन सदा परिपूजये
।।६६।।
(इंद्रवज्रा)
इत्थं निजज्ञेन निजात्मतत्त्व-
मुक्तं पुरा सूत्रकृता विशुद्धम्
बुद्ध्वा च यन्मुक्ति मुपैति भव्य-
स्तद्भावयाम्युत्तमशर्मणेऽहम्
।।६७।।
(वसन्ततिलका)
आद्यन्तमुक्त मनघं परमात्मतत्त्वं
निर्द्वन्द्वमक्षयविशालवरप्रबोधम्
तद्भावनापरिणतो भुवि भव्यलोकः
सिद्धिं प्रयाति भवसंभवदुःखदूराम्
।।६८।।
થયેલા હે યતિ! તું ભવહેતુનો વિનાશ કરનારા એવા આ (ધ્રુવ) પદને ભજ; અધ્રુવ વસ્તુની
ચિંતાથી તારે શું પ્રયોજન છે? ૬૫.

[શ્લોકાર્થઃ] જે અનાકુળ છે, *અચ્યુત છે, જન્મ-મૃત્યુ-રોગાદિ રહિત છે, સહજ નિર્મળ સુખામૃતમય છે, તે સમયસારને હું સમરસ (સમતાભાવ) વડે સદા પૂજું છું. ૬૬.

[શ્લોકાર્થઃ] એ રીતે પૂર્વે નિજજ્ઞ સૂત્રકારે (આત્મજ્ઞાની સૂત્રકર્તા શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવે) જે વિશુદ્ધ નિજાત્મતત્ત્વનું વર્ણન કર્યું અને જેને જાણીને ભવ્ય જીવ મુક્તિને પામે છે, તે નિજાત્મતત્ત્વને ઉત્તમ સુખની પ્રાપ્તિ અર્થે હું ભાવું છું. ૬૭.

[શ્લોકાર્થઃ] પરમાત્મતત્ત્વ આદિ-અંત વિનાનું છે, દોષ રહિત છે, નિર્દ્વંદ્વ છે અને અક્ષય વિશાળ ઉત્તમ જ્ઞાનસ્વરૂપ છે. જગતમાં જે ભવ્ય જનો તેની ભાવનારૂપે પરિણમે છે, તેઓ ભવજનિત દુઃખોથી દૂર એવી સિદ્ધિને પામે છે. ૬૮.

૯૨ ]

*અચ્યુત = અસ્ખલિત; નિજ સ્વરૂપથી નહિ ખસેલું.