कमनीयकामिनीनां तन्मनोहराङ्गनिरीक्षणद्वारेण समुपजनितकौतूहलचित्तवांच्छापरि- त्यागेन, अथवा पुंवेदोदयाभिधाननोकषायतीव्रोदयेन संजातमैथुनसंज्ञापरित्यागलक्षण- शुभपरिणामेन च ब्रह्मचर्यव्रतं भवति इति ।
स्मरसि मनसि कामिंस्त्वं तदा मद्वचः किम् ।
व्रजसि विपुलमोहं हेतुना केन चित्रम् ।।७9।।
સુંદર કામિનીઓનાં મનોહર અંગના નિરીક્ષણ દ્વારા ઊપજતી કુતૂહલતાના — ચિત્તવાંછાના — પરિત્યાગથી, અથવા પુરુષવેદોદય નામનો જે નોકષાયનો તીવ્ર ઉદય તેને લીધે ઊપજતી મૈથુનસંજ્ઞાના પરિત્યાગસ્વરૂપ શુભ પરિણામથી, બ્રહ્મચર્યવ્રત હોય છે.
[હવે ૫૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ] [શ્લોકાર્થઃ — ] કામિનીઓની જે શરીરવિભૂતિ તે વિભૂતિને, હે કામી પુરુષ! જો તું મનમાં સ્મરે છે, તો મારા વચનથી તને શો લાભ થશે? અહો! આશ્ચર્ય થાય છે કે સહજ પરમતત્ત્વને — નિજ સ્વરૂપને — છોડીને તું શા કારણે વિપુલ મોહને પામે છે! ૭૯.
અન્વયાર્થઃ — [निरपेक्षभावनापूर्वम्] ૧નિરપેક્ષ ભાવનાપૂર્વક (અર્થાત્ જે ભાવનામાં
૧૧૪ ]
૧. મુનિને મુનિત્વોચિત નિરપેક્ષ શુદ્ધ પરિણતિની સાથે વર્તતો જે (હઠ વગરનો) સર્વપરિગ્રહત્યાગસંબંધી